દરેક વ્યક્તિ એવુ ઇચ્છે છે કે તેની પ્રગત્તિ થાય તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છલોછલ રહે. તેનું પર્સ હંમેશા પૈસાથી છલકાતું રહે. પણ ક્યારેય અજાણતાજ તમે પર્સમાં કેટલીક એવી વસ્તુઓ રાખી દો છો જેનાથી તમારી બરકત અચાનક જવા લાગે છે. ધીરે ધીરે તમારૂ ધન ગાયબ થવા લાગે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે આવી કોઈ વસ્તુઓ ભૂલથી પણ પર્સમાં રાખવામાં આવે તો તમારા જીવન પર એનો ખરાબ પ્રભાવ પડે છે. કેટલાક લોકોને કામ વગરની વસ્તુઓ પણ સંગ્રહી રાખવાની આદત હોય છે. નકામા કાગળને પણ ડૂચા વાળી વાળીને ઠાંસી ઠાંસી પર્સમાં રાખી દે છે. આવુ કરશો તો ધન ક્યારેય તમારી પાસે નહી ટકે કેમકે માતા લક્ષ્મીજીને આ વાત પસંદ નથી.
કેટલાક લોકો ફાટેલી નોટોને કારણ વગર એમ જ પર્સમાં રાખી દે છે આવી નોટ ક્યારેય કામમાં આવતી નથી તો આવો નકામો સામાન પર્સમાં ન રાખશો. આવી વસ્તુઓ પર્સમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધશે.
બ્લેડ કે ચાકુ જેવા ધારદાર અસ્ત્રને સામાનની જેમ પર્સમાં ક્યારેય ન રાખશો. આનાથી નકારાત્મક ઉર્જા વધશે. સાથે સાથે આ વસ્તુઓ તમારા માટે ખતરનાક સાબીત થશે. આથી પર્સમાં આવી વસ્તુઓ ક્યારેય ન રાખશો.
મૃતક વ્યક્તિનો ફોટો ક્યારેય પર્સમાં ન રાખવો કેમકે આવું કરવાથી અશુભ થાય છે. જો તમારા પર્સમાં આવી કોઈ તસવીર હોય તો તેને તાત્કાલીક કાઢી નાખજો.
કોઈને ચુકવવાના કેટલા પૈસા જો તેની યાદી બનાવી હોય તો તેને ક્યારેય પર્સમાં ન રાખો. દેવી દેવતાઓની તસવીરોની જગ્યાએ તમે તેના યંત્રને પર્સમાં રાખશો તો વધુ ફાયદો થશે.