મંગળવારે વહેલી સવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક 6 યાત્રીઓ સુરક્ષીત. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાર્ટર કંપનીનું પ્રાઈવેટ પ્લેન ક્રેશ થઈ ગયું છે. મંગળવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક 6 યાત્રીઓ સુરક્ષીત છે. માનવામાં આવે છે કે, લેન્ડિંગ દરમિયાન વીજળીના તારમાં ફસાઈને વિમાન જમીન પર પડી ગયું હતું. આ વિમાન અલીગઢ મેઈન્ટેનન્સ માટે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે ખાનગી એવિયેશન કંપનીના પ્લેનના સમારકામ માટે એન્જિનિયરિંગની ટીમ આજે દિલ્હીથી પ્લેન દ્વારા અલીગઢ આવી રહી હતી. પ્લેન અલીગઢના ધનીપુર એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું હતું તે સમયે જ વીજળીના તારમાં ફસાઈ ગયું હતું. પ્લેનમાં ચાર એન્જિનિયરની સાથે 2 પાયલટ પણ હતા. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને 6 લોકો સુરક્ષીત છે.
સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આજે સવારે પ્લેન લેન્ડિંગ દરમિયાન 33 હજાર વોલ્ટેજ વીજળીના તારમાં ફસાઈ ગયું હતું. ત્યારપછી પ્લેનમાં આગ લાગી ગઈ હતી. પ્લેનમાં બેઠેલા યાત્રીઓએ કુદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. પ્લેનમાં બે પાયલટ સહિત 6 લોકો હતા. સ્થાનિક લોકોએ પણ રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા.