Benefits of Tulsi ઘરમાં તુલસીના છોડનું વાવેતર લાવે શુભતા, શાંતિ અને સ્વાસ્થ્ય – જાણો તેનું વૈજ્ઞાનિક અને વાસ્તુશાસ્ત્રમાં મહત્વ
Benefits of Tulsi તુલસી માત્ર એક ધાર્મિક છોડ નથી, પરંતુ તે આપણા જીવનશૈલી સાથે જોડી શકાય તેવો આરોગ્યદાયી અને શક્તિપ્રદ તત્વ છે. તેને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન મળેલું છે. પહેલા જ્યાં ઘરોમાં ખુલ્લું આંગણું હોય, ત્યાં તુલસીનું વાવેતર અનિવાર્ય ગણાતું. આજે ભલે ઊંચી ઈમારતોમાં રહેવા લાગ્યા હોય, પણ તુલસીનું મહત્વ યથાવત્ છે.
તુલસીના વૈજ્ઞાનિક લાભો
તુલસીના પાંદડાંમાં પારા (મરક્યુરી) તત્વ હાજર હોય છે, જેનાથી તેની સુગંધ તાજગી લાવે છે અને આસપાસની નકારાત્મક ઊર્જા દૂર કરે છે. તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે અને થડવાતા રોગોથી સુરક્ષા આપે છે. જો કે તેને ચાવવું સલાહભર્યું નથી, કારણ કે પારા દાંત માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
તુલસીનું ધાર્મિક અને વાસ્તુ મહત્વ
હિંદુ ધર્મમાં તુલસી માતાને પવિત્ર અને દેવરૂપ માનવામાં આવે છે. ઘરમાં તુલસીના છોડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને ઘરમાં શાંતિનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનું વાવેતર ઘરના ઈશાન કોણે કરવું સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશામાં તુલસી મૂકવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ રહે છે.
તુલસીનું ઘરમાં મહત્વ કેમ?
- આરોગ્યમાં સુધારો અને રોગોથી રક્ષણ
- ઘરના વાતાવરણમાં શાંતિ અને પવિત્રતા
- ધાર્મિક પૂજામાં મહત્વપૂર્ણ સ્થાન
- વાસ્તુ દૃષ્ટિએ ઘરની ઉર્જા સંતુલિત કરે
તુલસી એ માત્ર ઔષધિ નહીં, જીવનશૈલી છે. તેના પાંદડાંનો ઉપયોગ કઢી, ચા અથવા ઔષધિમાં થઈ શકે છે. તુલસીનું દરરોજ દર્શન અને સેવન આરોગ્ય અને શાંતિનું દ્વાર ખોલી શકે છે.
તેથી, જો શક્ય હોય તો તમારા ઘરમાં તુલસીનો એક છોડ અવશ્ય વાવો – તે તમારી આસપાસને પાવન તો બનાવશે જ, સાથે તમારા મન અને શરીર માટે આશીર્વાદરૂપ પણ સાબિત થશે.