Shashi Tharoor આતંકવાદના મુદ્દે ભારતનો મક્કમ અવાજ: UNSCમાં થરૂરે કહ્યું – “ચીન પાકિસ્તાનના દોષારોપને બચાવે છે”
Shashi Tharoor કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં પાકિસ્તાન અને ચીન બંનેની આતંકવાદ મુદ્દે ગંભીર ટીકાઓ કરી છે. બ્રાઝિલના રાજદૂત સેલ્સો અમોરીમ સાથેની ચર્ચા દરમિયાન થરૂરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામેની લડત ભૂ-રાજકીય જોડાણોના કારણે અડચણોમાં આવી છે.
થરૂરે ખાસ કરીને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ‘દ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) જેવા આતંકવાદી જૂથોને બચાવવા માટે ચીનની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત સતત TRF વિશે UN પ્રતિબંધ સમિતિને જાણ કરતું રહ્યું છે, પરંતુ હંમેશાં ચીન દ્વારા તેના સંદર્ભને અવરોધવામાં આવ્યો છે.
પાકિસ્તાન-ચીનના મિલન પર જોરદાર પ્રહારો
શશિ થરૂરે કહ્યું કે પાકિસ્તાને પોતાની “મિત્ર રાષ્ટ્ર” ચીનના દબાણ હેઠળ TRF નો ઉલ્લેખ UNSC ના દસ્તાવેજોમાંથી હટાવ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત અને બ્રાઝિલ જેવા દેશોનો UNSCમાં સ્થાન ન હોવો એક મોટું ભૂલ છે, જે આતંકવાદ સામેની લડતમાં નબળાઈ ઉભી કરે છે.
“અમે સુરક્ષા પરિષદમાં નથી અને તમે પણ નથી. આપણે બંનેએ પરિષદમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરવો પડશે,” એમ થરૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો.
IMFના બેલઆઉટ પેકેજ પર પણ ઉઠાવ્યા સવાલો
થરૂરે પાકિસ્તાનને મળેલા આંતરરાષ્ટ્રીય નાણાંકીય સહાય (IMF બેલઆઉટ પેકેજ) પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે જો આ નાણાંનો ઉપયોગ ગરીબી હટાવવા માટે થાય તો ભારતને વાંધો નથી. પરંતુ જો તે નાણા આતંકવાદને સહાય કરવા, શસ્ત્રસજ્જતા વધારવા માટે ઉપયોગ થાય, તો તે અત્યંત દુઃખદ છે.
તેમણે કહ્યું કે વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓમાં ભારતનો નક્કર અવાજ હોવો જોઈએ અને ભારતના રાજદ્વારીઓએ આ નાણાં યોગ્ય રીતે વપરાય તે સુનિશ્ચિત કરાવું જોઈએ.
શશિ થરૂરે આંતરરાષ્ટ્રીય મંચ પરથી સ્પષ્ટ કર્યું કે આતંકવાદ એ વૈશ્વિક ખતરો છે અને કોઈ પણ દેશ દ્વારા તેના માટે સહયોગ અથવા મૌન સમર્થન નિર્મમ રીતે નકારવામાં આવવું જોઈએ. ચીન અને પાકિસ્તાન પર તેમના પ્રહારોથી ભારતના દુષ્ટ શક્તિઓ વિરુદ્ધના દૃઢ અભિગમને મજબૂતી મળી છે.