Guru Ast: આ 3 રાશિઓ માટે 27 દિવસ ઊંડા પરિવર્તનનો સમય, કારકિર્દી અને વ્યવસાયમાં મળશે અનોખા ફાયદા
Guru Ast: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ ગ્રહ – જેને જ્ઞાન, વૃદ્ધિ અને ધર્મનો કારક માનવામાં આવે છે – તે 12 જૂનથી 9 જુલાઈ 2025 સુધી અસ્ત રહેશે. આ સમયગાળો લગ્ન અને શુભ કાર્યો માટે અનુકૂળ માનાતો નથી, પરંતુ જ્યોતિષાચાર્ય હર્ષવર્ધન શાંડિલ્યના મતે, ગુરુના અસ્ત વચ્ચે ત્રણ રાશિના જાતકો માટે ખાસ અવસર ઉભા થઇ શકે છે. આ સમય દરમિયાન તેઓનાં કારકિર્દી, નોકરી અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ થવાની શક્યતા છે. ચાલો જાણીએ કે આ શુભફળદાયી રાશિઓ કઈ છે અને તેમને શું લાભ મળી શકે છે:
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ અને આત્મનિરીક્ષણનો રહેશે. જૂના બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે. જૂના સંપર્કોથી મળેલી તકો દ્વારા નોકરીમાં પ્રમોશન અથવા નવા વ્યવસાયિક કરાર મળવાની શક્યતા છે. નેતૃત્વ ક્ષમતા અને સ્પષ્ટ વિઝન વડે વેપારમાં નફો થઇ શકે છે. સરકારી નોકરીયાતો માટે આ સમય સકારાત્મક છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુ અસ્તનો સમય એક નવા શરૂઆત બની શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ અને સ્થાનભેદના સંકેત છે, જે પદોન્નતિ તરફ લઈ જઈ શકે છે. વેપારીઓ માટે વિદેશી માર્કેટ અને નવી ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે. આ સમયગાળો આત્મવિશ્લેષણ અને શીખવા માટે ઉત્તમ છે. વિદ્યાર્થીઓ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો સારો સમય છે.
તુલા રાશિ
તુલા રાશિ માટે આ સમય રોકાણ, ક્રિએટિવ કારકિર્દી અને વ્યૂહાત્મક યોજના માટે અનુકૂળ છે. કલા, મીડિયા, કાનૂન અને ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં કાર્યરત જાતકોને સફળતા મળવાની શક્યતા છે. ગુરુ અસ્ત દરમિયાન તુલા જાતકોની રાજદ્વારી અને વ્યવહાર કુશળતા તેમને મૌન સફળતા તરફ લઈ જઈ શકે છે.