Rajkot Lokmela venue decision: પાંચ દિવસનો મેળો 14 થી 18 ઓગસ્ટ દરમિયાન
Rajkot Lokmela venue decision: રાજકોટમાં જન્માષ્ટમીના અવસર પર દર વર્ષે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વર્ષે રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. અગાઉ મેળાના સ્થળ બદલવાની ચર્ચાઓ અને વિવાદો વચ્ચે આજે વહીવટી તંત્રએ 14થી 18 ઓગષ્ટ સુધી પાંચ દિવસનો મેળો રેસકોર્સ મેદાનમાં યોજવાની ઘોષણા કરી છે.
લોકો અને આગેવાનોએ વિભિન્ન સ્થળોની માંગ કરી
મેળાનું સ્થળ બદલવાની માગણી ઘણા આગેવાનો અને લોકો દ્વારા કરી હતી. ધરાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે આ મેળા અટલ સરોવર પાસે યોજવાની માંગ કરી હતી, જ્યારે સામાજિક નેતાઓએ રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાન જ યોગ્ય જગ્યા હોવાનું જણાવ્યું. આ મુદ્દે ચર્ચા બાદ છેલ્લે રાજકોટ તંત્રએ રેસકોર્સ મેદાનને અંતિમ સ્થળ જાહેર કર્યુ.
મેળા માટે સ્ટોલ અને પ્લોટ માટે અરજી પ્રક્રિયા
લોકમેળા સમિતિ દ્વારા આ વર્ષે રમકડા, ખાણીપીણી વગેરે માટેના સ્ટોલ માટે અરજીઓ તા.9થી 13 જૂન સુધી લેવામાં આવશે. અરજદારોને ઈન્ડિયન બેંક, શાસ્ત્રી મેદાન સામે અથવા નાયબ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા અને જરૂરી રકમ સાથે અરજી કરવી પડશે.
સ્ટોલ માટેનું હરાજી આયોજન
મેળા માટે વિવિધ કેટેગરીઓના સ્ટોલ માટે 23થી 26 જૂન સુધી હરાજી યોજવામાં આવશે. જેમાં રમકડા, ખાણીપીણી, મકેનિકલ પ્લોટ સહિત વિવિધ પ્રકારના સ્ટોલ અને પ્લોટની હરાજી થશે.