PAN card inactive penalty 2025: આવકવેરા વિભાગની સ્પષ્ટ સૂચના, તાત્કાલિક ચકાસો તમારું પાન કાર્ડ સક્રિય છે કે નહીં
PAN કાર્ડ આજે માત્ર એક ઓળખપત્ર નથી, તે દરેક નાણાકીય વ્યવહાર માટે આવશ્યક દસ્તાવેજ બની ચૂક્યું છે – પછે વાત થાય ITR ફાઈલ કરવાની હોય કે બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદી-વેચાણ કે લોન જેવી સેવાઓની. આવી સ્થિતિમાં જો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય છે અને તમે તેનો ઉપયોગ ચાલુ રાખો છો, તો તમને ₹10,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે.
કોને લાગશે દંડ?
આવકવેરા વિભાગ અનુસાર, જો કોઈ વ્યક્તિનું પાન કાર્ડ આધાર સાથે લિંક ન હોય, અને તે છતાં તેનો નાણાકીય લેવડદેવડમાં ઉપયોગ કરે છે, તો તેને હેઠળ આવકવેરા અધિનિયમની કલમ 272B મુજબ ₹10,000 સુધીનો દંડ લાગી શકે છે. ઘણીવાર લોકોને ખબર જ નહીં હોય કે તેમનું PAN અક્રિય થઈ ગયું છે.
તમારું PAN સક્રિય છે કે કેમ, આ રીતે જાણો:
ઘરે બેઠા તમારું PAN સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકાય છે:
- incometax.gov.in પર જાઓ.
- “Quick Links” વિભાગમાં “Verify Your PAN” પર ક્લિક કરો.
- તમારું PAN નંબર, નામ, જન્મ તારીખ અને આધાર લિંક થયેલો મોબાઇલ નંબર દાખલ કરો.
- OTP મેળવ્યા પછી દાખલ કરો.
- હવે તમારું PAN સક્રિય છે કે નહિ તે સ્ટેટસ દેખાશે.
PAN કાર્ડ નિષ્ક્રિય હોય તો શું કરવું?
જો તમારું PAN અક્રિય જણાય, તો સૌથી પહેલા ચકાસો કે તે આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખે લિંંક ન કરનારાઓનું પાન કાર્ડ રદ કરી દેવાયું હોય શકે છે. તમે વેબસાઈટ પરથી ફરીથી લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
ડુપ્લિકેટ PAN ધરાવતા હોય તો, તરત એક PAN સરેન્ડર કરો. તે માટે NSDL અથવા UTIITSLની વેબસાઇટનો ઉપયોગ કરો.
પાન કાર્ડથી સંબંધિત આ નિયમોનું પાલન ન કરવું અત્યંત નુકસાનકારક થઈ શકે છે. સમય રહેતાં ચકાસણી કરો અને જરૂરી પગલાં ભરો – નહિ તો તમારું પેમેન્ટ અને નાણાકીય ભવિષ્ય મુશ્કેલીમાં પડી શકે.