Ambalal Patel prediction: આગામી મંત્રીમંડળ વિસ્તાર સાથે ગુજરાતમાં નવા નેતાઓને મળશે તક
Ambalal Patel prediction: ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર અને નવાજૂની અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજી આગાહી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ 2025માં રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર થઈ શકે છે.
અંબાલાલ પટેલની આ આગાહી ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષ વિદ્યા આધારિત છે, જેને લોકો ખૂબ ગંભીરતાથી લેતા આવ્યા છે. હાલમાં ગુજરાત સરકારમાં 8 કેબિનેટ મંત્રી અને 8 રાજ્ય મંત્રી છે, અને આ સંખ્યા વધારવાના સંકેતો મળી રહ્યા છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આ મંત્રીમંડળ વિસ્તરણમાં જુના નેતાઓને રોષ પણ હોઈ શકે છે, ખાસ કરીને જેમને કોંગ્રેસથી આવ્યા છે. પરંતુ હાઇકમાન્ડના આદેશ મુજબ, પૂર્વ કોંગ્રેસીઓનું પણ સમાયેલું જ હશે. આ મુદ્દે હજી સુધી હાઇકમાન્ડમાં અંતિમ નિર્ણય થવાનો બાકી છે.
આ મંત્રીમંડળ ફેરફાર સાથે જરૂરી ખાતાઓની પણ વહેંચણી થશે જેથી હાલના મંત્રીઓ પર ભાર ઘટાડીને અન્યને જવાબદારી સોંપી શકાય.