TOP Crops transportation subsidy: TOP પાક ખેડૂતોને મળશે પરિવહન ખર્ચ પર સહાય, સરકાર તરફથી મોટી રાહત યોજનાની જાહેરાત
TOP Crops transportation subsidy: ખેડૂતો હવે ટામેટા, ડુંગળી અને બટાકા જેવા મહત્વપૂર્ણ શાકભાજી પાક વેચવા માટે બીજી જગ્યાએ લઈ જશે તો કેન્દ્ર સરકાર તેમના પરિવહન ખર્ચનો એક મોટો ભાગ ઉપાડશે. કેન્દ્ર સરકારે “TOP Crops” અંતર્ગત રાહત આપવા માટે ખાસ યોજના અમલમાં મૂકી છે, જેનો હેતુ છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને સામાન્ય જનતાને પોષક ખાદ્ય પદાર્થો યોગ્ય દરે મળી રહે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપ્યું ખાતરીભર્યું નિવેદન
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નારાયણગાંવ ખાતે યોજાયેલી એક મુલાકાતમાં આ માહિતી આપી હતી. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ્થાનિક શાકભાજી બજાર, APMC મંડીઓ અને કોલ્ડ સ્ટોરેજની તપાસણી કરી અને ખેડૂતોના મુદ્દાઓને સમજ્યા.
શું છે યોજના અંતર્ગત સહાય?
જો ખેડૂતો ટામેટા, ડુંગળી કે બટાકા એવા રાજ્યોમાં વેચે છે જ્યાં તેમને વધુ ભાવ મળે, તો પરિવહન ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે
યોજના રાજ્ય સરકારો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતી પર અમલમાં આવશે…
આના દ્રારા ખેડૂતોને નફો વધશે અને દેશના અન્ય ભાગોમાં પણ શાકભાજી યોગ્ય દરે ઉપલબ્ધ રહેશે…
યોજના માટે હેતુ
ખેડૂતોના ઉત્પાદનને યોગ્ય બજાર મળે..
દેશભરમાં શાકભાજી સપ્લાયનું સમતોલ વિતરણ થાય….
નાશ પામતા પાકોના સેવનને ઉત્તેજન મળે..
ખાસ કરીને ટામેટા, ડુંગળી અને બટાકા જેવી શાકભાજીનું જથ્થાબંધ વેચાણ સરળ બને…
ખેડૂતો માટે શું કરવું જરૂરી છે?
પોતાના રાજ્યના કૃષિ વિભાગ અથવા કૃષિ મંડળનો સંપર્ક કરો..
જાહેર બજાર અને ખરીદી કેન્દ્રો વિશે સમયસર માહિતી મેળવો..
સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે APMCથી માર્ગદર્શન લો…
કેન્દ્રની નવી યોજનાથી ખેડૂતોને ટોપ પાકના વેચાણમાં મોટા સ્તરે મદદ મળી શકે છે. યોગ્ય માર્ગદર્શન અને તૈયારી સાથે ખેડૂત ભાઈઓ તેમના ઉત્પાદનને વધુ ભાવ પર વેચી શકે છે અને પરિવહન ખર્ચની ચિંતા કર્યા વગર, તેમના નફામાં વધારો કરી શકે છે.