Covid-19 Cases In India ભારતમાં ફરી વધ્યા COVID-19ના કેસ: 7154 સક્રિય દર્દીઓ, આરોગ્ય તંત્ર એલર્ટ પર
Covid-19 Cases In India ભારતમાં કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. તાજેતરના આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશભરમાં 7154 સક્રિય કેસો નોંધાયા છે. ફરીથી પ્રવર્તી રહેલી આ લહેર મુખ્યત્વે એવા દર્દીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે, જેમને પહેલેથી જ કોઈ ગંભીર રોગ હોય — જેમ કે ડાયાબિટીસ, અસ્થમા અથવા ટીબી.
ગાઝિયાબાદમાં 75 દર્દીઓ નોંધાયા છે, જ્યારે કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં ચેપની સ્થિતિ વધુ ગંભીર બની છે. આરોગ્ય વિભાગે લોકોને હાથ ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અને સામાજિક અંતર જાળવવાની ખાસ અપીલ કરી છે.
મધ્યપ્રદેશમાંથી મળી આવેલી માહિતી અનુસાર, તાજેતરમાં એક 52 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે જેને ક્રોનિક ટીબી, શ્વાસસંબંધિત સમસ્યાઓ અને તાજેતરમાં ડાયાબિટીસનું નિદાન થયું હતું. આ ઘટના દર્શાવે છે કે કોરોના હજુ પણ હાઈ-રિસ્ક જૂથ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
તંત્રએ PM નરેન્દ્ર મોદીને મળવા આવનાર દરેક વ્યક્તિ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. માર્ગદર્શિકા અનુસાર ટેસ્ટ વિના કોઈને પણ મળવાની મંજૂરી નહીં મળે. આ પગલાં તંત્ર દ્વારા PM ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, કારણ કે કોરોના વાયરસ હજી પણ સતત મ્યુટેટ થતો રહે છે અને ખાસ્સું ચેપલાયક છે.
દેશભરમાં આરોગ્ય તંત્ર, NCDC અને સંબંધિત રાજ્યોની ટીમો રોગચાળાની સ્થિતિ પર નજર રાખી રહી છે. હોસ્પિટલોમાં રિ-અેક્ટિવેટેડ આઈસોલેશન વોર્ડ, ટેસ્ટિંગ સેન્ટરો અને ઇમરજન્સી હેલ્પલાઇન ફરીથી કાર્યરત કરવામાં આવી છે.
હવે ફરી એકવાર જરૂર છે કે લોકો માસ્ક પહેરે, ભીડથી બચે, અને લક્ષણો જણાય તો તરત ટેસ્ટ કરાવે. સરકાર તથા આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી Covid Advisoryનું પાલન દરેક નાગરિકે કરવું અનિવાર્ય છે. જોકે અત્યારની સ્થિતિ પહેલાની લહેરો જેવી ભયજનક નથી, છતાં તકેદારીના પગલાં અપનાવા જરૂરી છે.