Plane Crash: કન્ફિગરેશન એરર શું છે અને કેવી રીતે થાય છે?
Plane Crash: ગઇકાલે બપોરે અમદાવાદમાં જે દુર્ઘટના થઈ, તે માત્ર હેરાન કરતા પણ ઘણા તર્કસંગત પ્રશ્નો ઉભા કરે છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન જવા રવાના થઈ હતી. ટેકઓફના થોડા જ પળોમાં વિમાને ઊંચાઈ મેળવવામાં નિષ્ફળ રહી અને થોડા જ અંતર બાદ નીચે આવી જતા આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ.
આ દુર્ઘટનાથી એ પ્રશ્ન ઊભો થાય છે – શું વિમાનમાં “કન્ફિગરેશન એરર” જેવી કોઈ ગોઠવણી સંબંધી ભૂલ થઈ?
શું છે કન્ફિગરેશન એરર?
વિમાને ટેકઓફ પહેલાં અને દરમિયાન કેટલીક ખાસ સિસ્ટમ સેટિંગ્સ કરવાની હોય છે – જેને “કન્ફિગરેશન” કહેવાય. તેમાં ફ્લેપ્સ, એન્જિન થ્રસ્ટ, લેન્ડિંગ ગિયર, એર સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. જો આ સેટિંગ્સમાં કોઈ ભૂલ રહી જાય, તો વિમાન યોગ્ય ઊંચાઈ પર પહોંચી શકતું નથી – જેને કન્ફિગરેશન એરર કહેવાય.
આવી ભૂલમાં મોટેભાગે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય:
પ્લેન પૂરતી ઝડપે દોડતું ન હોવું
ફ્લેપ્સ ખોટા એંગલ પર હોવા
એન્જિનથી ઓછો થ્રસ્ટ આપવો
લેન્ડિંગ ગિયર સમયસર ન ખેંચવો
વિમાને જો ટેકઓફ પહેલા પૂરતી સ્પીડ ન મેળવી હોય, તો તેનું ઊંચાઈ મેળવવાનું ક્ષમતા પર અસર થાય છે. અમદાવાદ જેવી જગ્યાએ, જ્યાં ગરમી સામાન્ય કરતા વધુ હોય છે, આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
હવે બધાની નજર બ્લેક બોક્સ પર
વિમાનમાં લાગેલા બે મહત્વના રેકોર્ડિંગ ઉપકરણો – ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) – દુર્ઘટનાના સાચા કારણો પર પ્રકાશ પાડશે. તેનાથી વિમાનના એન્જિન સ્ટેટસ , એરોનૉમિક પરિબળોની વિગતો બહાર આવશે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ બોક્સ લગભગ 25 કલાકની માહિતી સંગ્રહે છે. જો બોક્સ તંદુરસ્ત હાલતમાં હશે, તો બે થી ચાર અઠવાડિયામાં શરૂઆતના પરિણામો મળવાની શક્યતા છે. જો નુકસાન થયું હોય, તો વિશ્લેષણમાં વધુ સમય લાગી શકે છે.