Ahmedabad Plane Crash: દીવ દમણ લક્ષદીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા,પ્લેન ક્રેશમાં બચી ગયેલા એકમાત્ર મુસાફરના ખબર અંતર પૂછ્યા, ઇજાગ્રસ્તોની મુલાકાત કરી
Ahmedabad Plane Crash કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદીપ,દીવ દમણ,સેલવાસ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અમદાવાદમાં થયેલા પ્લેન કેશ ની ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓની દર્દીઓની મુલાકાત લીધી હતી આ ઉપરાંત તેમણે દીવના બચી ગયેલા યુવાન પ્રકાશ વિશ્વાસની હોસ્પિટલ ખાતે જઈને મુલાકાત લીધી હતી વિશ્વાસ રમેશ દીવના રહેવાસી છે અને તેઓ બ્રિટનમાં બ્રિટનના નાગરિક છે.
પ્રફુલભાઈ પટેલે વિશ્વાસ કુમાર રમેશની મુલાકાત કરી તેમના ખબર અંતર જાણ્યા હતા અને તેમના સારા સ્વાસ્થ્યની કામના પણ કરી હતી.
વધુમાં પ્રફુલભાઈ પટેલે પટેલે અધિકારીઓ સાથે પણ ખાસ મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને સહાયભૂત થવા ઉપરાંત ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી.
મહત્વની વાત એ છે કે લોકોને મદદ કરવા માટેની ટીમ પણ આવી હતી આ ટીમ સાથે પણ તેમણે ચર્ચા વિચારણા કરીને કરીને મદદરૂપ થવા માટેના નિર્દેશ આપ્યા હતા