Air India ટેકનિકલ ખામીઓ બાદ ભવિષ્યમાં વધુ સુરક્ષિત હવાઈસફર માટે તૈયારી શરૂ
Air India 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર બનેલી ભયાનક વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય સેવા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. એરલાઇન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી અઠવાડિયાઓ માટે તેના વાઇડબોડી વિમાનોના ઉપયોગમાં 15% નો ઘટાડો કરવામાં આવશે. આ નિર્ણય 20 જૂનથી અમલમાં આવશે અને 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.
ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલું
વિમાન દુર્ઘટના પછી ટેકનિકલ ખામીઓના અનેક કેસ સામે આવ્યા છે, જેને કારણે એર ઇન્ડિયા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. એઇલાઇનનું કહેવું છે કે હાલની સ્થિતિને ગંભીરતાથી લઈને, મુસાફરોની સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે એ તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
વિશેષરૂપે, વાઇડબોડી વિમાનોના સંચાલનમાં અણધારી વિક્ષેપો અને ખામીઓ સામે રિઝર્વ વિમાન તૈનાત રાખવામાં આવશે. એટલે કે જો કોઈ વિમાન ટેકનિકલ ખામીના કારણે સેવા આપી શકશે નહીં, તો રિઝર્વ વિમાન દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.
મુસાફરોને માફી અને સમજૂતી
એર ઇન્ડિયાએ જાહેરમાફી આપી છે અને જણાવ્યું છે કે ફ્લાઇટ્સમાં થયેલા પરિવર્તનથી ઘણા મુસાફરો પર અસર પડશે. પરંતુ કંપનીનું સ્પષ્ટ કહેવું છે કે આ નિર્ણય મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. ખામીઓને સુધાર્યા બાદ એર ઇન્ડિયા ફરી એકવાર તેની વિશ્વસનીયતા સ્થાપિત કરશે.
Air India to reduce international services
on widebody aircraft by 15%
Move to ensure stability of operations, better efficiency and minimise inconvenience to passengersAir India remains in mourning on the tragic loss of 241 passengers and crew members aboard flight AI171. Our…
— Air India (@airindia) June 18, 2025
દુર્ઘટનાનો ભયાનક દૃશ્ય
ગુજરાતના હવામાં ભારે ચકચાર મચાવનાર આ વિમાન દુર્ઘટનામાં કુલ 241 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર મુસાફરો ઉપરાંત હોસ્ટેલમાં રહેલા 29 લોકો પણ શામેલ છે. દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અહિ માત્ર એક યુવાનનો જીવ બચી ગયો હતો, જે અત્યાર સુધી આ ઘટનાની જીવતી સાક્ષી તરીકે બચી ગયો છે. દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે.
એર ઇન્ડિયાના આ નિર્ણયને મુસાફરોની સલામતી તરફ ઉઠાવેલો જવાબદાર અને જરૂરી પગલું ગણવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં વધુ સતર્કતા અને તકેદારી સાથે એરલાઇનની સેવા ફરી શરૂ થવાની આશા છે.