Gujarat Baba Vanga Ambalal Patel: ગુજરાતનો પોતાનો ‘બાબા વેંગા’
Gujarat Baba Vanga Ambalal Patel: હવામાન વિશે વિચારવું એટલે ગુજરાતમાં હવે એક નામ બધાના મનમાં આવે છે — અંબાલાલ પટેલ. જેમ દુનિયામાં બાબા વેંગાની આગાહીઓ લોકો માટે રહસ્યમય અને મહત્વપૂર્ણ છે, તેમ ગુજરાત માટે અંબાલાલ પટેલ એ જ સ્થાન ધરાવે છે. તેઓ એ વ્યક્તિ છે જે છેલ્લા ઘણા દાયકાઓથી ગુજરાતનું હવામાન અત્યંત સચોટ રીતે આગાહી કરી રહ્યા છે.
અંબાલાલ પટેલ: ગુજરાતનો જીવંત હવામાન તજજ્ઞ
ચોમાસું ક્યારે આવશે? કેટલો વરસાદ પડશે? ચક્રવાત કે તોફાન આવશે? આ બધાની વાત કરતા જ ગુજરાતીઓના મનમાં અંબાલાલ પટેલનું નામ આવી જાય છે. તેઓ ગુજરાત માટે માત્ર આગાહીકાર નથી, પણ ખેતીથી લઈને દરિયાકાંઠાની સલામતી સુધી અનેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે.
ક્યારે અને કેવી રીતે બન્યા ‘બાબા વેંગા’?
1947માં અમદાવાદ જિલ્લાના રૂદતાલ ગામમાં જન્મેલા અંબાલાલ દામોદરદાસ પટેલે એગ્રિકલ્ચર ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થઈને સરકારી સેવા શરૂ કરી. 1972માં ગુજરાત સરકારમાં એગ્રિકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા બાદ તેઓએ એગ્રિકલ્ચર ઓફિસર, મદદનીશ ખેતી નિયામક તથા બીજ પ્રમાણન એજન્સી જેવી અનેક જવાબદારીઓ નિભાવી.
ખેડૂતો માટે કામ કરતા સમયે જ તેમને ખ્યાલ આવ્યો કે હવામાનનું સચોટ જ્ઞાન ખેતી માટે જરૂરી છે. એ જ સમયે જ્યોતિષ અને વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો અને ‘મેઘ મહાદય’, ‘વારાહી સંહિતા’ જેવા ગ્રંથોમાંથી જ્યોતિષીય રીતે હવામાન આગાહી કરવાની પદ્ધતિ શીખી.
12 મહિના આગાહી: હવામાન ક્ષેત્રે અંબાલાલ પટેલનો દબદબો
ચોમાસું હોય કે શિયાળો-ઉનાળો, અંબાલાલ પટેલ 12 મહિના માટે ગુજરાતનું હવામાન પૂર્વાનુમાન આપે છે. તેમણે ખેડૂતો માટે વરસાદનો સમય, તોફાન, ચક્રવાત સહિતની માહિતી આપી અનેક વખત ખેતી-વ્યવસાય માટે માર્ગદર્શન આપ્યું છે.
એગ્રીકલ્ચરના જ્ઞાનથી શરૂ થયો હવામાન આગાહીઓનો સફર
એગ્રિકલ્ચરની પૃષ્ઠભૂમિ અને જ્યોતિષનો અભ્યાસ, આ બે ક્ષેત્રે અંબાલાલ પટેલને ‘ગુજરાતના બાબા વેંગા’ તરીકે સ્થાપિત કર્યા. તેઓ જ્યોષી વિજ્ઞાન, એગ્રિકલ્ચરના જ્ઞાન તથા અનુભવનો ઉપયોગ કરીને ખેડૂતો માટે વરસાદ કેવો પડશે તથા ચોમાસું ક્યારે શરૂ થશે તેવી મહત્વપૂર્ણ આગાહીઓ આપે છે.
ગુજરાતીઓનો વિશ્વાસ
ગુજરાતીઓ માટે અંબાલાલ પટેલ એ ‘માનવીય હવામાન વિભાગ’ છે. રાજ્યભરના ખેડૂત, વ્યવસાયીઓ અને સામાન્ય લોકો તેમની આગાહીઓનું ઉત્સુકતાથી રાહ જુએ છે. એ જ કારણ છે કે આજે તેમનું નામ ‘ગુજરાતના બાબા વેંગા’ તરીકે જાણીતું બન્યું છે.