PMAY Housing Subsidy: MIG વર્ગ માટે વ્યાજમાં છૂટનો લાભ
PMAY Housing Subsidy: પોતાનું ઘર હોવું એ દરેક મધ્યમ વર્ગના પરિવારનું સપનું છે, પરંતુ આજના સમયમાં વધતી કિંમત, લોનના વ્યાજ તથા અન્ય ખર્ચને લીધે ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) દ્વારા લોકોને 2.50 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે.
EWS અને LIG વર્ગ માટે શરતો
જો તમારો સમાવેશ EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માં થાય છે અને તમારું વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીનું છે, તો 30 ચોરસ મીટરના મકાન માટે 2.50 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. એ જ રીતે, LIG (ઓછી આવક ધરાવતી શ્રેણી) માં આવે તો 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતાં લોકોને 60 ચોરસ મીટરના મકાન પર આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.
MIG વર્ગ માટે વ્યાજમાં છૂટનો લાભ
જો તમારો સમાવેશ MIG-Iમાં થાય છે (6 લાખથી 12 લાખ રૂપિયા વાર્ષિક આવક), તો તમને લોનના વ્યાજ પર 4% સબસિડી મળે છે. જ્યારે MIG-II વર્ગ માટે (12 લાખથી 18 લાખ રૂપિયા વાર્ષિક આવક) 3% વ્યાજમાં છૂટ મળે છે.
પાત્રતા મુજબ કેટલી સહાય મળે?
EWS/LIG વર્ગ: 2.50 લાખ રૂપિયા સુધી
MIG-I વર્ગ: 4% વ્યાજ સબસિડી
MIG-II વર્ગ: 3% વ્યાજ સબસિડી
કઈ રીતે મેળવો લાભ?
જો તમે આ યોજના માટે પાત્ર હો, તો PMAY ની અધિકૃત વેબસાઇટ પર જઈ જરૂરી માહિતી મેળવી શકો છો. વધુ વિગતો માટે તમારી નજીકની બેંકનો સંપર્ક કરો.
PMAY દ્વારા સરકારએ સામાન્ય વર્ગના લોકોને પોતાનું સપનું સાકાર કરવામાં મોટી રાહત આપી છે. યોગ્ય દસ્તાવેજો અને માહિતી સાથે અરજી કરીને તમે પણ આ લાભ મેળવી શકો છો!