Middle East Flight Cancellation : મધ્ય પૂર્વમાં તણાવ વધતા એર ટ્રાફિક પર સીધી અસર
Middle East Flight Cancellation : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલી તંગદિલીનું પ્રમાણ હવે ભારતીય એરપોર્ટ્સ સુધી પહોંચ્યું છે. ખાસ કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા જયપુર એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ઈરાન, કતાર, યુએઈ, ઈરાક તથા બહેરીન સહિત અનેક દેશોએ પોતાની એર સ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી હોવાથી વિમાનો માટે મધ્ય પૂર્વનો માર્ગ સંપૂર્ણપણે અવરોધિત બન્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ
મધ્ય પૂર્વમાં સર્જાયેલા તણાવને કારણે અમદાવાદથી જતી અને આવતી પાંચ ફ્લાઇટ્સ પર તાત્કાલિક અસર પડી.
એર ઈન્ડિયા: લંડનથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર AI-160 રદ
ઇન્ડિગો: દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ 6E-1478 અને અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટ 6E-1432 રદ
કુવૈત એરવેઝ: કુવૈત સિટીથી અમદાવાદ આવતી ફ્લાઇટ KU-345 રદ
કતાર એરવેઝ: દોહાથી અમદાવાદ આવતી ફ્લાઇટ QR-534 રદ
મુસાફરો માટે તાકીદની અપીલ: એયરપોર્ટ આવતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ તપાસો
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તાએ મુસાફરોને ખાસ અપીલ કરી છે કે તેઓ એયરપોર્ટ પર પહોંચે એ પહેલા ફ્લાઇટની હાલની સ્થિતિ તપાસે. મધ્ય પૂર્વમાં સતત બદલાતી પરિસ્થિતિને કારણે ફ્લાઇટ્સ છેલ્લી ક્ષણે રદ થઈ શકે છે, જેથી મુસાફરોનો સમય બગડે નહીં.
જયપુર એરપોર્ટ પણ અસરગ્રસ્ત, 6 ફ્લાઇટ્સ રદ
મધ્ય પૂર્વમાં સર્જાયેલા તણાવનો અસર જયપુર એરપોર્ટ પર પણ જોવા મળી. જયપુરથી દુબઈ તથા જેદ્દાહ જતી 3 ફ્લાઇટ્સ તેમજ વિદેશથી જયપુર આવતી 3 ફ્લાઇટ્સ તાત્કાલિક રદ કરવામાં આવી.
જયપુરથી દુબઈ:
એર ઈન્ડિયા એક્સપ્રેસ IX-195
સ્પાઈસજેટ SG-57
જયપુરથી જેદ્દાહ: એર ઈન્ડિયા એક્સપ્રેસ IX-3063
દુબઈથી જયપુર: એર ઈન્ડિયા એક્સપ્રેસ IX-196
જેદ્દાહથી જયપુર: એર ઈન્ડિયા એક્સપ્રેસ IX-3064
દુબઈથી જયપુર: સ્પાઈસજેટ SG-58
મુસાફરો મુશ્કેલીમાં, એરલાઇન્સ પર નારાજગી
જયપુર એરપોર્ટ પર અચાનક ફ્લાઇટ્સ રદ થતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દુબઈ જવાના મુસાફર રાજીવ કપૂરે જણાવ્યું કે એરલાઇન્સ દ્વારા છેલ્લી ઘડીએ આપવામાં આવેલું રદ કરવાનો નિર્ણય અત્યંત ખોટો છે. “અમારા જેવા અનેક મુસાફરો અગાઉથી તૈયાર થઈ પહોંચ્યા હતા, પરંતુ એયરપોર્ટ પર આવી જાણકારી મળતા નિરાશાનો સામનો કરવો પડ્યો” એમ તેમણે જણાવ્યું.
એયરલાઇન્સ દ્વારા ટિકિટ રિફંડ અંગે સ્પષ્ટતા
એયરલાઇન્સે જાણકારી આપી છે કે ફ્લાઇટ્સ રદ થવાને કારણે તમામ મુસાફરોના પૈસા ટૂંક સમયમાં પરત કરવામાં આવશે. તેમ છતાં, તણાવભરી પરિસ્થિતિ યથાવત રહેતી હોય મુસાફરોને વધુ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.