Gujarat Reservoir Alert : મેઘરાજાની મહેર: રાજ્યના 10 જળાશયો સંપૂર્ણ ભરાયા
Gujarat Reservoir Alert : ચાલું ચોમાસું ગુજરાત માટે જળસંગ્રહના મામલે લાભદાયી સાબિત થઈ રહ્યું છે. જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ રાજ્યમાં હાલ 10 જળાશયો 100 ટકા ભરાયેલા છે. આ જળાશયો વચ્ચે ધાતરવાડી, સુરજવાડી, વાંસલ, લીમ-ભોગાવો-1, સબુરી, વાઘડિયા, કલાઘોઘા, રોજકી, બગડ તથા ભીમદાદાનો સમાવેશ થાય છે.
29 જળાશયો 70 થી 100 ટકા ભરાયેલા
રાજ્યમાં કુલ 29 જળાશયોમાં 70થી 100 ટકા સુધી પાણી ભરાઈ ચૂક્યું છે, જે પાણીના જથ્થાના દ્રષ્ટિએ આનંદની વાત છે. ખાસ કરીને સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 50.15 ટકા ભરાયો છે.
રાજ્યમાં જળાશયોની હાલની સ્થિતિ
કુલ જળાશયો: 207
કુલ જળસંગ્રહ: 45.01%
સૌરાષ્ટ્ર: 141 જળાશયોમાં 48.15% પાણી ભરાયેલું
મધ્ય ગુજરાત: 17 જળાશયોમાં 43.80% પાણી
દક્ષિણ ગુજરાત: 13 જળાશયોમાં 42.30% પાણી
ઉત્તર ગુજરાત: 15 જળાશયોમાં 33.10% પાણી
કચ્છ: 20 જળાશયોમાં 28.72% પાણી
રાજ્યમાં જળસંગ્રહની હાલની સ્થિતિ
સરદાર સરોવર સહિત 25 જળાશયોમાં 50 થી 70% સુધી પાણી ભરાયું છે.
61 જળાશયોમાં 25 થી 50% સુધી પાણી ભરાયું છે.
82 જળાશયોમાં 25% કરતા ઓછું પાણી ભરાયું છે.
મુખ્ય જળાશયોમાં પ્રવાહનો જોર
હાલમાં સરદાર સરોવર ડેમમાં લગભગ 18 હજાર ક્યુસેક પાણી પ્રવેશી રહ્યું છે.
દમણગંગામાં 16 હજાર ક્યુસેક, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર તથા ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેક સુધી પાણી આવી રહ્યું છે.
નીચાણવાળા વિસ્તારો માટે તંત્રની ચેતવણી
જળાશયોની સપાટીમાં સતત વધારો થતા તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી છે. ભારે વરસાદ ચાલુ રહે તો પુર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેથી તંત્ર દ્વારા સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાઈ રહ્યા છે.
ગુજરાતમાં ચોમાસું જોરદાર રીતે વરસી રહ્યું છે અને જળાશયો ભરાવાની પ્રક્રિયા પણ તેજ બની છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો માટે ચેતવણી જારી કરી દેવામાં આવી છે. રાજ્યભરના જળાશયોમાં પાણીનો જથ્થો હાલ સારી સ્થિતિમાં છે, જે આવનારા દિવસોમાં સિંચાઈ તથા પીવાના પાણી માટે આશ્વાસનરૂપ છે.