Ahmedabad Rath Yatra: રથયાત્રાના દિવસે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વનો નિર્ણય
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રાની તૈયારી માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સહિતના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. શહેરમાં રથયાત્રાના માર્ગ પર 26 જૂન રાત્રે 12 વાગ્યાથી ‘નો પાર્કિંગ ઝોન’ લાગૂ કરવામાં આવ્યો છે.
કયા વિસ્તારોમાં લાગૂ રહેશે ‘નો પાર્કિંગ’?
પોલિસ કમિશનર જી. એસ. મલિક દ્વારા જાહેર કરાયેલા સૂચના અનુસાર જમાલપુર દરવાજાથી શરૂ થઈને જમાલપુર ચકલો, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલો (BRTS રૂટ સહિત), મદનગોપાલની હવેલી, રાયપુર ચકલો, ખાડિયા જૂની ગેટ, પાંચકૂવા, કાલુપુર સરકલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલો, હલિમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલો, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલો, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ તથા સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો માર્ગ ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
ક્યાર સુધી લાગૂ રહેશે આ નિયમ?
પોલીસ દ્વારા આપવામાં આવેલું જાહેરનામું 26 જૂન રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈ 27 જૂનના રોજ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33 હેઠળ જારી કરાયું છે. નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ભક્તોને ટ્રાફિક નિયમનું પાલન કરવા અપીલ
પોલીસ તંત્ર દ્વારા તમામ ભક્તો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાના દિવસે ટ્રાફિકના નિયમોનું પાલન કરી સહકાર આપે, જેથી ભગવાન જગન્નાથની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.