Shubhanshu Shukla Axiom-4 અંતરિક્ષ મિશનમાં ભારતીય જ્ઞાન અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ
Shubhanshu Shukla Axiom-4 ભારતના યુવાન અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હવે ઈતિહાસ રચવા જઇ રહ્યા છે. તેઓ Axiom Mission-4 અંતર્ગત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થયા છે. મિશનનું સફળ પ્રક્ષેપણ ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી થયું હતું. મિશનની ખાસ વાત એ છે કે, આ મિશન દ્વારા ISS પર જનાર પ્રથમ ભારતીય વાયુસેનાના અધિકારી બનશે.
PM મોદીનું ખાસ અભિપ્રાય: અવકાશમાં ભારતની ઉમંગો સાથે પ્રવાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ mશુભાંશુ શુક્લા સહિત તમામ અવકાશયાત્રીઓને તેમના મિશન માટે શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના X (ટ્વિટર) પોસ્ટમાં જણાવ્યું:
“અમે ભારત, હંગેરી, પોલેન્ડ અને યુએસના અવકાશયાત્રીઓ સાથે Axiom-4 મિશનના સફળ લોન્ચિંગને આવકારીએ છીએ. ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, હવે ISSની મુલાકાત લેતા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ 1.4 અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને સપનાઓ સાથે ગયા છે.”
We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US.
The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…
— Narendra Modi (@narendramodi) June 25, 2025
મિશન માટે ચોથા ભારતીય અવકાશયાત્રી બન્યા
શુભાંશુ શુક્લા ભારતના માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ લઈને આવ્યા છે. તેઓ પહેલાં રાકેશ શર્મા, સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બાદ અવકાશમાં પહોંચનારા ચોથા ભારતીય મૂળના અવકાશયાત્રી બન્યા છે. Axiom-4 મિશન એક વ્યવસાયિક (private) સ્પેસ મિશન છે, જે અંતર્ગત ચાર ખાનગી અવકાશયાત્રી 14 દિવસ માટે ISS પર વિજ્ઞાન અને ટેક્નોલોજી પર કામ કરશે.
નાસાનું અપડેટ અને ભવિષ્યની આશાઓ
નાસા અને Axiom Space બંનેએ મિશનના સફળ પ્રક્ષેપણ બાદ જાણકારી આપી હતી કે, “25 જૂનના રોજ સવારે 2:31 વાગ્યે (IST 12:01PM) લોન્ચ કોમ્પ્લેક્સ 39A પરથી મિશન સફળતાપૂર્વક ઉડાન ભરાઈ હતી.”
આ મિશન માત્ર એક અવકાશયાત્રા નહીં, પણ ભારતના વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ કદમ માટે એક મોટો પગથિયો સાબિત થશે. શુક્લાની યાત્રા નવી પેઢીને અવકાશ વિજ્ઞાન તરફ પ્રેરણા આપશે.