PM Kisan Maandhan Yojana: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે?
PM Kisan Maandhan Yojana: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) એ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પેન્શન યોજના છે. 9 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરાયેલી આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહારો પૂરો પાડે છે. 60 વર્ષની ઉંમરે દર મહિને 3000 રૂપિયા પેન્શન મળી શકે છે.
યોજનાનો ઉદ્દેશ્ય
ખેડૂતોનું વૃદ્ધાવસ્થામાં જીવન સુરક્ષિત કરવું.
દર મહિને પેન્શન દ્વારા આર્થિક સહારો પૂરો પાડવો.
ખેડૂતો આત્મનિર્ભર રહે એ સુનિશ્ચિત કરવું.
PM-KMY યોજનાની મુખ્ય વિશેષતાઓ
18 થી 40 વર્ષની વયના ખેડૂતો અરજી કરી શકે છે.
દર મહિને 55 થી 200 રૂપિયા યોગદાન આપવાનું રહેશે.
સરકાર દ્વારા પણ સમાન યોગદાન આપવામાં આવશે.
60 વર્ષની ઉંમરે દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
પ્રવેશ ઉંમર | સભ્ય યોગદાન (રૂ.) | સરકાર યોગદાન (રૂ.) | કુલ યોગદાન (રૂ.) |
---|---|---|---|
18 | 55 | 55 | 110 |
19 | 58 | 58 | 116 |
20 | 61 | 61 | 122 |
21 | 64 | 64 | 128 |
22 | 68 | 68 | 136 |
23 | 72 | 72 | 144 |
24 | 76 | 76 | 152 |
25 | 80 | 80 | 160 |
26 | 85 | 85 | 170 |
27 | 90 | 90 | 180 |
28 | 95 | 95 | 190 |
29 | 100 | 100 | 200 |
30 | 105 | 105 | 210 |
31 | 110 | 110 | 220 |
32 | 120 | 120 | 240 |
33 | 130 | 130 | 260 |
34 | 140 | 140 | 280 |
35 | 150 | 150 | 300 |
36 | 160 | 160 | 320 |
37 | 170 | 170 | 340 |
38 | 180 | 180 | 360 |
39 | 190 | 190 | 380 |
40 | 200 | 200 | 400 |
પાત્રતા માટેના નિયમો
નાના અને સીમાંત ખેડૂતો માટે.
18 થી 40 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે.
જે લોકો NPS, ESIC, EPF જેવી પેન્શન યોજનાઓ હેઠળ છે તેઓ પાત્ર નથી.
કયા ખેડૂતો યોજનાનો લાભ નહીં મેળવી શકે?
મોટા જમીનમાલિકો
વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્ય
સરકાર હેઠળ કાર્યરત/નિવૃત્ત કર્મચારીઓ
ડોકટર, એન્જિનિયર, CA, વકીલ વગેરે વ્યાવસાયિકો
પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કેવી રીતે કરવી?
નજીકના CSC કેન્દ્ર પર જાઓ.
આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનની વિગતો લઈને જાઓ.
ઑનલાઇન અરજી ભરો.
ઑટો ડેબિટ માટે મંજૂરી આપો.
અરજી ચકાસણી બાદ યુનિક પેન્શન નંબર આપવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
બેંક પાસબુક
જમીનના દસ્તાવેજો
પાસપોર્ટ સાઇઝ ફોટો
ઑટો ડેબિટ મંજૂરી પત્ર
હપ્તાની કાપણી ક્યારે થશે?
હપ્તાની કાપણી દર મહિને 1, 11 કે 21 તારીખે થશે. તમારે તમારા ખાતામાં જરૂરી રકમ જમા રાખવી જરૂરી છે.
લાભાર્થીનું અવસાન થાય તો શું થશે?
60 વર્ષની ઉંમર પહેલાં અવસાન થાય તો જીવનસાથી યોગદાન ચાલુ રાખી શકે છે.
60 વર્ષની ઉંમર બાદ અવસાન થાય તો જીવનસાથીને 50% પેન્શન મળે છે.
પતિ-પત્ની બંને અવસાન પામે તો યોગદાનનો ભંડોળ નોમિનીને પરત કરવામાં આવે છે.