Jagannath Rath Yatra 2025 રથયાત્રાનો આરંભ ભક્તિ, ભાવે અને ભવ્યતા સાથે, રાષ્ટ્રીય નેતાઓએ પણ વ્યક્ત કર્યું આસ્થા અને શ્રદ્ધા ભેલું સંદેશ
Jagannath Rath Yatra 2025 આજથી ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાનો ભવ્ય આરંભ થયો છે. પુરીની પવિત્ર ધરતી પર હજારો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથ પર સ્થાપિત મૂર્તિઓને દર્શન કરવા ઉમટી પડ્યા છે. રથયાત્રા એકતા, ભક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ અવસરે દેશના શ્રેષ્ઠ નેતાઓએ પોતાના શુભેચ્છાસંદેશ આપીને આ તહેવારની વિશેષતા પર પ્રકાશ પાડ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ: વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને દેશ અને વિદેશમાં વસતા ભગવાન જગન્નાથના ભક્તોને શુભેચ્છાઓ પાઠવી. તેમના સંદેશમાં તેમણે જણાવ્યું કે, “લાખો ભક્તો ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ચક્રરાજ સુદર્શનના રથ દર્શન દ્વારા દિવ્ય આનંદ અનુભવતા હોય છે.”
पवित्र रथयात्रा के अवसर पर मैं देश-विदेश में रह रहे महाप्रभु जगन्नाथ के भक्तों को अपनी हार्दिक शुभकामनाएं देती हूँ। रथ पर विराजमान बड़े ठाकुर बलभद्र, महाप्रभु श्रीजगन्नाथ, देवी सुभद्रा और चक्रराज सुदर्शन के दर्शन करके लाखों भक्त दिव्य अनुभूति प्राप्त करते हैं। इन ईश्वरीय स्वरूपों…
— President of India (@rashtrapatibhvn) June 27, 2025
તેમણે રથયાત્રાને “દેવતાઓનો માનવ દિવ્ય ખેલ” કહી ઓળખ આપી અને વિશ્વમાં શાંતિ, મિત્રતા અને સંવાદિતા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી મોદીનો સંદેશ: સૌભાગ્ય અને સુખદ જીવનની શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રથયાત્રા પર દેશવાસીઓને પાવન શુભકામનાઓ પાઠવી. તેમણે એક વીડિયો પોસ્ટ સાથે લખ્યું:
“ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસરે દેશના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું આ તહેવાર તમામના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે. જય જગન્નાથ!”
भगवान जगन्नाथ की रथ यात्रा के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, यही कामना है। जय जगन्नाथ! pic.twitter.com/vj8K6a0XKM
— Narendra Modi (@narendramodi) June 27, 2025
અમિત શાહે પણ વ્યક્ત કર્યું આસ્થા અને સંસ્કૃતિ પ્રત્યેનું સન્માન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રથયાત્રા નિમિતે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા. ટ્વિટમાં તેમણે લખ્યું, “શ્રી જગન્નાથ રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ છે, જે આપણને ભક્તિ, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખીને આગળ વધવાનો સંદેશ આપે છે.”
रथयात्रा के पावन अवसर पर श्री जगन्नाथ मंदिर, अहमदाबाद की मंगला आरती में शामिल होना अपने आप में दिव्य और अलौकिक अनुभव होता है। आज महाप्रभु की मंगला आरती में शामिल होकर दर्शन-पूजन किया। महाप्रभु सभी पर अपना आशीर्वाद बनाए रखें। pic.twitter.com/T3XDWbjQt1
— Amit Shah (@AmitShah) June 27, 2025
તેમણે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની આરાધના કરીને દેશના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે આશીર્વાદ માગ્યા.
આવા શુભ અવસરે દેશભરના નાગરિકો એકતા, શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ ઊઠ્યા છે. જય જગન્નાથ!