Vehicle Sales on Ashadhi Beej: શુભ મુહૂર્તમાં ઓટોમોબાઈલ માર્કેટમાં થયો ધમાકો
Vehicle Sales on Ashadhi Beej: રાજકોટમાં આ વર્ષે અષાઢી બીજનો પાવન પ્રસંગ ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થયો. પુષ્ય નક્ષત્ર અને સિદ્ધિ યોગના શુભ સંયોગે, શહેરમાં એક જ દિવસમાં 1500થી વધુ ટુ-વ્હીલર અને 700થી વધુ ફોર-વ્હીલર વાહનો વેચાયા, જેનો કુલ વેપાર રૂ. 100 કરોડને પાર ગયો.
શહેરના શોરૂમોમાં ઉમટ્યું ખરીદદારોનું વહાણ
રાજકોટના 20થી વધુ કાર અને 23 ટુ-વ્હીલર શોરૂમમાં વહેલી સવારથી ખરીદદારોએ લાઈન લગાવી દીધી. ટાટા, કિયા, મહિન્દ્રા જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ સાથે ઓડી, મર્સીડીઝ અને બીએમડબલ્યુ જેવી પ્રીમિયમ કારોમાં પણ નોંધપાત્ર વેચાણ થયું. ટુ-વ્હીલર વેચાણનો અંદાજ રૂ. 15 કરોડ જેટલો હતો, જ્યારે ફોર-વ્હીલરમાં રૂ. 85થી 90 કરોડનો વ્યવહાર નોંધાયો.
અગાઉથી કરેલ બુકિંગથી વિક્રેતાઓ અને ગ્રાહકો બંને ખુશ
ઘણા ગ્રાહકોએ મુહૂર્તને ધ્યાનમાં રાખીને અગાઉથી વાહનો બુક કરી રાખ્યા હતા. તેથી વિક્રેતાઓએ રજિસ્ટ્રેશન, ટેક્સ તથા ડિલિવરીની તમામ પ્રક્રિયા આગોતરી પૂરું કરી, અને ગ્રાહકોને સમયસર નવું વાહન મળ્યું.
પ્રીમિયમ કારોમાં પણ નોંધાયો મોટો ઉછાળો
આ વર્ષે ખાસ કરીને રૂ. 50 લાખથી વધુ કિંમતની કાર જેવી કે ઓડી, બીએમડબલ્યુ અને લેન્ડ રોવરમાં પણ 12થી વધુ યુનિટ્સ વેચાઈ. ટોયોટા અને સ્કોડા જેવી બ્રાન્ડ્સે પણ મધ્યમ વર્ગમાં સારી માંગ મેળવી.
શેરબજાર અને વૈશ્વિક પરિસ્થિતિએ આપ્યું સપોર્ટ
આંતરરાષ્ટ્રીય યુદ્ધવિરામ અને ભારતીય શેરબજારની સ્થિરતાથી પણ બજારમાં વિશ્વાસનો માહોલ ઊભો થયો. ઘણા મહિનાંથી મંદીનો સામનો કરી રહેલા ડીલરો માટે અષાઢી બીજ નવા આશાના કિરણ સમાન સાબિત થયો.
ગુજરાતમાં અષાઢી બીજ: નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અષાઢી બીજનું વિશિષ્ટ મહત્ત્વ છે. ખેડૂતો વાવણી શરૂ કરે છે અને વેપારીઓ નવું રોકાણ કરતા હોય છે. આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને સિદ્ધિ યોગના યોગે આ દિવસ લાભદાયી સાબિત થયો.