Ratha Yatra 2025: “યાત્રા એ શ્રદ્ધા, સેવા અને એકતાનું સ્વરૂપ છે”: ગૌતમ અદાણીનું ઇન્સ્પાયરિંગ નિવેદન
ઓડિશાના પુરી શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા 2025ની ઉજવણી દરમિયાન દેશ-વિદેશના લાખો ભક્તોએ ભાગ લીધો છે. આ પવિત્ર યાત્રામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ આજના દિવસે ઉપસ્થિત રહ્યા અને ભગવાન જગન્નાથના ભક્તિપૂર્વક દર્શન કર્યા.
ગૌતમ અદાણી રથયાત્રામાં એક ભક્ત તરીકે આવ્યા હતા – વિવેકભેર માથું નમાવીને અને હાથ જોડીને ભગવાનના આશીર્વાદ લીધા. તેમણે જણાવ્યુ હતું કે, “મહાપ્રભુ શ્રી જગન્નાથજીની દિવ્ય રથયાત્રા જોવાની તક મેળવીને હું ધન્ય છું. યાત્રા એ શ્રદ્ધા, સેવા અને એકતાનું એક વિશાળ સ્વરૂપ છે.”
અદાણી ગ્રુપ દ્વારા 40 લાખ યાત્રાળુઓને પ્રસાદ સેવા
આ વર્ષે રથયાત્રાના ભાગરૂપે અદાણી ગ્રુપ દ્વારા વિશાળ પ્રસાદ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “સેવા હી સાધના હૈ” ના ભાવ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં લાખો યાત્રાળુઓને ભોજન આપવામાં આવશે. અંદાજે 40 લાખથી વધુ લોકોને પ્રસાદરૂપે ભોજન આપવાનો ઉદ્દેશ છે, જે સમર્પિત સેવાભાવના ઉત્તમ ઉદાહરણ રૂપે નિભાવવામાં આવી રહ્યો છે.
महाप्रभु श्री जगन्नाथ जी की दिव्य रथयात्रा के दर्शन का सौभाग्य पाकर धन्य हुआ।
भक्तों के बीच साक्षात भगवान को देखना, विनम्रता, सरलता और करुणा की पराकाष्ठा का अनुभव है।
यह रथ यात्रा आस्था, सेवा और एकता का विराट स्वरूप है, जो मन, बुद्धि और आत्मा, तीनों को आनंदित कर देती है।
पुरी… pic.twitter.com/mrc3QvrHq9
— Gautam Adani (@gautam_adani) June 28, 2025
ગૌતમ અદાણીની પત્ની પણ સેવા કાર્યમાં સહભાગી બનતા જોવા મળ્યા હતા. તેમણે મહિલાઓ સાથે બેસીને ફળો કાપવાની સેવા આપી અને કામદારોને પ્રોત્સાહન આપ્યું.
લાઇફગાર્ડ સાથે ખાસ મુલાકાત
આજની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણી લાઇફગાર્ડ્સ સાથે મળ્યા અને તેમની સેવા માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે તેમના પરિશ્રમ અને ભક્તોની સલામતી માટેના યોગદાનને વખાણ્યું. આ પ્રસંગે તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે ઉપસ્થિત રહ્યા.
પુરીની આ પવિત્ર યાત્રામાં ગૌતમ અદાણીના ઉપસ્થિતિએ લોકોમાં આનંદ અને ઉમંગ ઊભો કર્યો. તેમની ભક્તિભાવથી ભરેલી હાજરી અને નિઃસ્વાર્થ સેવા દ્રષ્ટિભંગી ઉદાહરણરૂપ બની રહી