Shashi Tharoor on Rahul Gandhi થરૂરે કહ્યું – ‘આ ઐતિહાસિક રીતે સાચું છે, પરંતુ આજે RSS બદલાયું છે’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના તાજેતરના વિવાદાસ્પદ નિવેદન પછી રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે RSS-BJP ભારતના બંધારણને નથી માનતી, પરંતુ તે મનુસ્મૃતિના સિદ્ધાંતોને સમર્થન આપે છે. તેઓનું દાવો છે કે આ વિચારધારા લોકોના અધિકારો છીનવીને તેમને પુનઃ ગુલામી તરફ દોરે છે.
આ નિવેદન બાદ ભાજપે તેની કડક ટીકા કરી હતી, પરંતુ રાહુલ ગાંધીને સમર્થન આપતા હવે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ ખુલ્લા મેદાને આવી ગયા છે. થરૂરે જણાવ્યું કે રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે તે ઐતિહાસિક રીતે સાચી છે, કારણ કે જ્યારે ભારત બંધારણને અપનાવી રહ્યું હતું, ત્યારે RSSના પ્રારંભિક નેતાઓએ તેના વિરોધમાં નોંધપાત્ર ટિપ્પણીઓ કરી હતી.
શશિ થરૂરે જણાવ્યું, “મને લાગે છે કે રાહુલ ગાંધી જે ઉલ્લેખ કરે છે તે ગોલવલકર જેવા RSS નેતાઓ દ્વારા આપેલા નિવેદનો પર આધારિત છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંધારણની સૌથી મોટી ખામીઓ પૈકી એક એ છે કે તેમાં મનુસ્મૃતિમાંથી કંઈ અપનાવવામાં આવ્યું નથી.”
થરૂરે વધુમાં ઉમેર્યું કે, “હું માનું છું કે આજની RSS તે દિવસોથી આગળ વધી ગઈ છે. તેથી આ નિવેદન ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાચું છે, ભલે આજે તે તેમની હાલની દૃષ્ટિને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત ન કરે. જોકે, આ મુદ્દે ચોક્કસપણે સ્પષ્ટતા કરવા માટે RSS પોતે યોગ્ય સ્થાને છે.”
RSS का नक़ाब फिर से उतर गया।
संविधान इन्हें चुभता है क्योंकि वो समानता, धर्मनिरपेक्षता और न्याय की बात करता है।
RSS-BJP को संविधान नहीं, मनुस्मृति चाहिए। ये बहुजनों और ग़रीबों से उनके अधिकार छीनकर उन्हें दोबारा ग़ुलाम बनाना चाहते हैं। संविधान जैसा ताक़तवर हथियार उनसे छीनना इनका…
— Rahul Gandhi (@RahulGandhi) June 27, 2025
આ તમામ હમલાવાર નિવેદનોની શરૂઆત ત્યારે થઈ જ્યારે RSSના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ બંધારણ અંગે ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં રાહુલ ગાંધીએ X (હવે Twitter) પર લખ્યું કે, “RSSનો માસ્ક ફરીથી ઉતરી ગયો છે. તેમને બંધારણથી ગુસ્સો છે કારણ કે તેમાં સમાનતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાની વાત છે. તેઓ મનુસ્મૃતિ ઈચ્છે છે, અને લોકોને તેમના અધિકારોથી વંચિત કરી ગુલામ બનાવવા માંગે છે.”
રાહુલ ગાંધીએ વધુમાં સ્પષ્ટ રીતે કહ્યું કે “અમે ક્યારેય આ એજન્ડાને સફળ થવા નહીં દઈએ. દરેક દેશભક્ત ભારતીય બંધારણ માટે અંતિમ શ્વાસ સુધી લડે.”