Bilva Pooja at Somnath Temple : શ્રાવણમાં વિશેષ ભાવના સાથે શરૂ થયો અભૂતપૂર્વ પૂજા કાર્યક્રમ
Bilva Pooja at Somnath Temple : શ્રાવણ મહિનાના પાવન અવસરે શિવભક્તો માટે સોમનાથ ટ્રસ્ટે ફરીથી શરૂ કરી છે “₹25 બિલ્વપૂજા સેવા”. આ સેવા અંતર્ગત ભક્તો ઘેરબેઠાં ફક્ત રૂ.25માં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકે છે. ઉપરાંત, પૂજા બાદ રુદ્રાક્ષ અને ભસ્મનું પવિત્ર પ્રસાદ તેમના ઘેર મોકલવામાં આવે છે.
હજારો ભક્તો મેળવી ચૂક્યા લાભ
ગત બે વર્ષમાં દેશભરના 7.50 લાખથી વધુ ભક્તોએ આ વિશિષ્ટ સેવાનો લાભ લીધો છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પવિત્ર અવસરો પર અર્પિત આ બિલ્વપત્રો સાથે જોડાયેલા ભાવિકોનું પુણ્ય સીધું જ સોમનાથ મહાદેવ સાથે જોડાય છે.
ઓનલાઇન નોંધણી સરળ અને ઝડપી
આ પૂજામાં ભાગ લેવા ઇચ્છતા ભક્તો માટે નોંધણી પ્રક્રિયા અત્યંત સરળ છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને, પસંદગી મુજબ એક દિવસ, દરેક સોમવાર કે આખા શ્રાવણ માસ માટે બિલ્વપૂજા પસંદ કરી શકાય છે. ફોર્મ ભર્યા પછી ફક્ત ₹25 પેમેન્ટ કરીને રજિસ્ટ્રેશન પુરૂ થઈ જાય છે.
14 દિવસથી લઈ આખા માસ સુધી પૂજાનો વિકલ્પ
વિશેષ આ વર્ષની સેવા એ છે કે ભક્તો એક સાથે અનેક દિવસોની પૂજા બુક કરી શકે છે. તેઓ ઈચ્છે તો દરેક દિવસે જુદું જુદું પ્રસાદ મંગાવી શકે છે, કે પછી તમામ દિવસો માટે સંયુક્ત રીતે પણ રુદ્રાક્ષ અને ભસ્મ મંગાવી શકે છે.
મફત ડાક દ્વારા મળે છે પ્રસાદ
પૂજા પૂર્ણ થયા પછી, સોમનાથ મહાદેવને અર્પિત થયેલા બિલ્વપત્રનું પુણ્ય પ્રાપ્ત થવા ઉપરાંત ભક્તોને ડાક મારફતે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદરૂપે ઘેર મોકલવામાં આવે છે. જો કોઈ ભક્તને સમયસર પ્રસાદ ન મળે, તો તેઓ ટ્રસ્ટના મોબાઇલ નંબર 9428214915 અથવા ઈમેઇલ [email protected] પર સંપર્ક કરી શકશે.
લાઈવ દર્શન પણ ઉપલબ્ધ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને YouTube અને Facebook જેવી સોશિયલ મીડિયામાં પણ બિલ્વપૂજાના લાઈવ દર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગયા વર્ષે અંદાજે 80 કરોડથી વધુ ભક્તોએ વિશ્વભરમાંથી આ સેવા નો લાભ લીધો હતો.
શાસ્ત્રો અનુસાર બિલ્વપત્ર અર્પણનું મહત્વ
વેદો અનુસાર એક ત્રિપર્ણયુક્ત બિલ્વપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મનાં પાપો નાશ પામે છે. શિવભક્તિમાં બિલ્વપત્રનું વિશિષ્ટ સ્થાન છે.
મંત્ર:
“त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् ।
त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणम् ॥”
ભક્તોમાં ઉમટતી ભાવનાત્મક લહેર
શ્રાવણ 2025 માટે આ સેવા ફરી શરૂ થતાં જ રેકોર્ડ સમયગાળામાં હજારો લોકો જોડાઈ ચુક્યા છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ભક્તો માટે આ ઓનલાઈન પૂજા એક સારો વિકલ્પ બની છે, જે વિશ્વમાં બેઠેલા દરેક શિવભક્તને પ્રથમ જ્યોતિર્લિંગ સાથે સાંકળે છે.