Hidden Nature Spot in Gujarat: વિલ્સન હિલ નજીક વસેલો છે શાંત, સુંદર અને નૈસર્ગિક શંકર ધોધ
Hidden Nature Spot in Gujarat: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ઊંડાણમાં આવેલ એક નાનકડું ગામ વાઘવડ, જેમાં વસેલું છે શંકર ધોધ. ચોમાસાની શરૂઆત થતાંજ અહીં નટખટ ઝરણાંઓ ફરી જીવંત થઈ ઉઠ્યાં છે. ધોધ પાસેના ઘણા વિસ્તારોમાં ભીના પવન સાથે હરિયાળીનો નજારો તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. અહીંનું વાતાવરણ જોવું એ જાણે કુદરતના કણે કણે જીવન વહેતા હોય એવી અનુભૂતિ આપે છે.
ચારેકોર હરિયાળી અને ઝરણાંઓનો સંગમ
શંકર ધોધ સુધી પહોંચતા પહેલા જ પ્રવાસીઓ પ્રકૃતિના ભવ્ય દ્રશ્યોમાં ખોવાઈ જાય છે. ઝરણાંઓના પાવન અવાજ સાથે તાજી હવા, રજાની વ્યસ્તતા પાછળ મૂકી દે છે. લોકો ખાસ કરીને મુંબઈથી લાંબો મુસાફરો કરીને અહીં પહોચે છે અને કુદરતી સૌંદર્યના શોભા ચિત્તારતા નજરે પડતા હોય છે.
ચોમાસા દરમિયાન અહીંનું સૌંદર્ય આવે પર્વ પર
દર વર્ષે ચોમાસાની ઋતુમાં અહીંનો મનોહર નજારો હજારો પ્રવાસીઓને ખેંચે છે. જ્યારે પર્વતો પર વરસાદ ધમધમતું હોય, ત્યારે શંકર ધોધ તેની સંપૂર્ણ શોભા સાથે વહે છે. સ્થાનિકો કહે છે કે “અહીં આવીને જણાય કે કુદરતના ખોળે બેઠા હોઈએ અને એની સાથે મનની વાતો કરી શકીએ.”
ફક્ત ગુજરાત નહિ, પરંતુ ગુજરાત બહારથી પણ પ્રવાસીઓમાં લોકપ્રિય
મુંબઈ, નાશિક, સુરત અને અમદાવાદ જેવા શહેરોના લોકો ચોમાસાના સમયમાં શંકર ધોધની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તેઓ અહીંના દ્રશ્યો કેમેરામાં કેદ કરે છે અને કુદરતના પ્રેરક પળોના ભાગીદાર બને છે. અહીં કોઈ મોડર્ન તામજામ નથી, પણ છે તો શાંતિ…
સાપુતારા અને વિલ્સન હિલ જેવી લોકપ્રિય જગ્યાઓ સાથે શંકર ધોધ પણ બની રહ્યું છે લોકપ્રિય વિકલ્પ
ચોમાસાના દિવસોમાં, જ્યારે પ્રવાસીઓ સાપુતારા અથવા વિલ્સન હિલ જેવી જગ્યા ખૂંટાઈ ગયેલી લાગે છે, ત્યારે શંકર ધોધ એક શાંત અને શુદ્ધ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. અભ્યાસી પ્રવાસીઓ હવે આ જ જગ્યાને ‘ગુજરાતનું છુપાયેલું સ્વર્ગ’ તરીકે ઓળખવા લાગ્યા છે.