1st July Rule Changes નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત, તત્કાલ રેલ્વે ટિકિટ બુકિંગમાં પણ નવા નિયમ લાગુ
1st July Rule Changes 1 જુલાઈ 2025થી કેટલીક મહત્વપૂર્ણ નીતિઓમાં ફેરફારો થશે, જે સામાન્ય જનજીવન અને નાણાકીય વ્યવહારોને સીધા અસર કરશે. આ ફેરફારોમાં નવા પાન કાર્ડ માટે આધારકાર્ડ ફરજિયાત થવું, રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગમાં વધુ સુરક્ષા પ્રોટોકોલ અને GST રિટર્નમાં નવા નિયમોનો સમાવેશ થાય છે. સાથે જ, HDFC બેંકના ક્રેડિટ કાર્ડ પર નવા ચાર્જ અને નિયમો પણ 1 જુલાઈથી લાગુ થશે. આવો જાણીએ આ ફેરફારો તમારી રોજિંદી જિંદગી અને નાણાકીય વ્યવહારોને કેવી રીતે પ્રભાવિત કરશે.
નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત
1 જુલાઈ 2025થી નવા પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધારકાર્ડ ફરજિયાત રહેશે. પહેલા પાન કાર્ડ માટે વિવિધ ઓળખપત્રો માન્ય હતા, જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઈસન્સ, વિધ્યાર્થી ઓળખપત્ર અને જન્મપ્રમાણપત્ર પણ. પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ નવો નિયમ લાવ્યો છે કે પાન કાર્ડ માટે અરજી કરતાં સમયે આધારની વેરિફિકેશન જરૂરી રહેશે. આથી, જો તમારું આધારકાર્ડ પાન કાર્ડ સાથે જોડાયેલું નથી, તો પાન કાર્ડ માટે અરજી પહેલા આ જોડાણ કરાવવું જરૂરી રહેશે.
તત્કાલ રેલ્વે ટિકિટ બુકિંગમાં નવાં નિયમ
IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરતી વખતે હવે આધાર ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. 15 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે વન-ટાઇમ પાસવર્ડ (OTP) પણ જરૂરી થશે, જે ટિકિટ બુક કરતી વખતે તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આ નિયમ PRS કાઉન્ટરથી બુક કરાયેલ તત્કાલ ટિકિટ માટે પણ લાગુ પડશે. આનો ઉદ્દેશ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સુરક્ષા લાવવાનો છે.
GST રિટર્ન ફાઇલિંગમાં ફેરફાર
7 જૂન 2025ના રોજ GSTN દ્વારા ઘોષિત કરવામાં આવ્યું કે 1 જુલાઈથી GSTR-3B ફોર્મ સંપાદનયોગ્ય નહીં રહેશે. સાથે જ, GST રિટર્ન ફાઇલ કરવાના નિયમો પણ કડક બનાવાયા છે. નિયમ મુજબ, જેઓ GST રિટર્નના નિર્ધારિત સમયગાળામાં ફાઇલિંગ નહીં કરે, તેમને હવે વધુ સમય માટે સદર રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી નહીં મળશે.
HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ચાર્જમાં અપડેટ
HDFC બેંકે નવા ક્રેડિટ કાર્ડ ચાર્જની જાહેરાત કરી છે, જે 1 જુલાઈથી અમલમાં આવશે. તેમાં ₹10,000થી વધુના માસિક ખર્ચ પર 1% ચાર્જ લાગશે. આ નિયમ ઓનલાઇન ગેમિંગ, ભાડા ચુકવણી, ઈંધણ ભરતુ, અને તૃતીય-પક્ષ એપ્લિકેશનો મારફતે થયેલ શૈક્ષણિક ચુકવણીઓ પર પણ લાગુ પડશે. આથી, ગ્રાહકોને તેમના કાર્ડના ખર્ચને લઈને વધુ ચેતવણી રાખવી પડશે.
1 જુલાઈ 2025થી આ ચાર મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે જે તમારું નાણાકીય જીવન અને દિવસચર્યાને સીધા અસર કરશે. પાન કાર્ડ માટે હવે આધારની ફરજિયાતતા, રેલ્વે ટિકિટ બુકિંગ માટે વધુ સુરક્ષા, GST રિટર્ન ફાઇલિંગમાં કડકાઈ અને HDFC બેંકના નવા ચાર્જના નિયમો એ સમયસર જાણવાની અને તૈયારી કરવાની જરૂરિયાત દર્શાવે છે.