Pew Research Report પ્યુ રિસર્ચના સર્વે અનુસાર 2010થી 2020 વચ્ચે મુસ્લિમ વસ્તીમાં સૌથી વધુ વધારો, જ્યારે ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના હિસ્સામાં ઘટાડો નોંધાયો
Pew Research Report વૈશ્વિક સ્તરે ધર્મને લઈને મોટો ફેરફાર નોંધાયો છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા 2010થી 2020 દરમિયાન કરવામાં આવેલા સર્વે અનુસાર, આજે દુનિયાના લગભગ 24 ટકા લોકો કોઈ પણ ધર્મમાં વિશ્વાસ કરતા નથી. આ નંબર 2010માં 23% હતો, જે હવે વધીને 24.2% થયો છે.
મુસ્લિમોની વસ્તીમાં સૌથી વધુ વધારો
2010થી 2020 વચ્ચે મુસ્લિમોની વસ્તીમાં 34.7 કરોડનો વધારો થયો છે અને તેમની કુલ સંખ્યા હવે 1.9 અબજ થઈ ગઈ છે. મુસ્લિમો હવે દુનિયાની 25.6% વસ્તીનો ભાગ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે ઉચ્ચ જન્મ દર અને યુવા વસ્તી ધરાવતા પ્રદેશો જેવા કે મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં નોંધાઈ છે.
ખ્રિસ્તી વસ્તી સંખ્યામાં વધી પણ હિસ્સો ઘટ્યો
ખ્રિસ્તીઓની સંખ્યા 2010ની તુલનાએ 12.2 કરોડ વધીને 2.3 અબજ થઈ છે, પણ તેમનો વૈશ્વિક હિસ્સો 30.6%થી ઘટીને 28.8% રહ્યો. આ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે યુરોપ અને અમેરિકા જેવા ક્ષેત્રોમાં વસ્તી વૃદ્ધિ ધીમી પડી રહી છે.
હિન્દુ ધર્મ સ્થિર, બૌદ્ધ ધર્મમાં ઘટાડો
હિન્દુ ધર્મની વસ્તી 1.26 કરોડ વધીને 1.2 અબજ થઈ છે, પરંતુ તેમનો વૈશ્વિક હિસ્સો 14.9% પર સ્થિર રહ્યો છે. ભારત અને નેપાળમાં વિકાસ દર સાતત્યભર્યું છે. બૌદ્ધ ધર્મમાં 1.9 કરોડનો ઘટાડો નોંધાયો છે, અને હવે તેમનો હિસ્સો 4.1% છે. આ ઘટાડાનું મુખ્ય કારણ છે ચીન અને જાપાનમાં ધર્મથી દૂર જતી નવી પેઢી.
કોઈ ધર્મથી ન જોડાયેલ લોકો ત્રીજા નંબર પર
ધાર્મિક રીતે બિનસંબંધિત લોકો (નોન્સ)ની સંખ્યા હવે 1.9 અબજ, જેનાથી તેઓ વિશ્વનો ત્રીજો સૌથી મોટો જૂથ બની ગયા છે. આ વલણ ખાસ કરીને યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન અને ચીન જેવા વિકાસશીલ અને શહેરી વિસ્તારોમાં જોવા મળ્યું છે.
આંતરિક શાંતિની શોધ કે આધુનિકતાનો અસર?
2020 સુધી, વિશ્વના 75.8% લોકો કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના 24.2% લોકોને કોઈ ધાર્મિક ઓળખ નથી. આથી સ્પષ્ટ થાય છે કે ધર્મ અને આધુનિક જીવનશૈલી વચ્ચે સંતુલન શોધવા માટે દુનિયાની વિચારી રહેલી છે.