Asaduddin Owaisi ઓવૈસીની ચેતવણી: ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે લશ્કરી સાંઠગાંઠ, કેન્દ્ર હકીકતને અવગણે છે
Asaduddin Owaisi પરભણીમાં એક રેલી દરમિયાન AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે ભારતના ત્રણ પાડોશી — પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન — લશ્કરી રીતે નજીક આવી રહ્યા છે અને સંયુક્ત કવાયત કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે “ઓપરેશન સિંદૂર” બાદ ફરી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ઓવૈસીએ આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ભાજપ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી ગંભીર સુરક્ષા ધમકીઓને અવગણી રહી છે અને ફક્ત બાંગ્લાદેશી ઘુસણખોરીને જ મુદ્દો બનાવી રહી છે.
તેમણે જણાવ્યુ કે ચીન બાંગ્લાદેશ સરહદે પોતાનું એરબેઝ ઉભું કરી રહ્યો છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની નૌકાદળો સંયુક્ત રીતે લશ્કરી અભ્યાસમાં જોડાઈ રહી છે. આ વાતોને ભારત માટે મોટો ખતરો ગણાવી, ઓવૈસીએ જણાવ્યું કે આવા ત્રિમુખી હુમલાની શક્યતા વધી રહી છે.
આથી તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલ ઉઠાવતાં પૂછ્યું કે ભારતની સરહદો પર જે સ્થિતિ ઉભી થઈ રહી છે, તેને લઇને સરકાર શુ કરી રહી છે?
મહારાષ્ટ્રના ભાષા મુદ્દે વાત કરતાં ઓવૈસીએ કહ્યું કે ભારતની શક્તિ તેની વૈવિધ્યતા છે. તેમણે રાજ્ય સરકારના તાજેતરના ત્રણ ભાષાના સૂત્ર અંગેના બે ઓર્ડર રદ કરવાની કાર્યવાહી પર પણ ટીકા કરી.
તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આક્ષેપ કર્યો કે તે દેશમાં એક જ ભાષા અને સંસ્કૃતિ ઘસેડવાનું પ્રયત્ન કરી રહ્યું છે, જે દેશની લોકશાહી અને વૈવિધ્યતાને ધોકો છે.
ઓવૈસીએ OBC અનામત માટે લડી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગેને પણ સમર્થન આપ્યું.