- મમતાની અપીલ-આવો બંધારણીય અધિકારોની રક્ષા માટે ફરી એક વખત શપથ લઈએ
- ઈન્ટરનેશનલ ડેમોક્રેસી ડે પર કહ્યું કે, બંધારણીય મૂલ્યોને બચાવવાનો પ્રયાસ કરવો પડશે
કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ઈન્ટરનેશનલ ડેમોક્રેસી ડે પર તેમણે કહ્યું કે, દેશમાં સુપર ઈમરજન્સી જેવી પરિસ્થિતી છે. મમતાએ ટ્વીટ કરીને લોકોના અધિકારોને બચાવવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, સુપર ઈમરજન્સીના યુગમાં આવો ફરી એક વખત તે બંધારણીય મૂલ્યોની રક્ષાની શપથ લેશું, જેમના પર દેશની સ્થાપના થઈ હતી. બંધારણના અધિકારો અને આઝાદીની ગેંરટી મળી છે તેમની રક્ષા કરવા માટે ચોક્કસ કંઈક કરવું પડશે.