શારદા ચિટ ફંડ કેસમાં કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો(સીબીઆઇ) તપાસનાં સામનો કરી રહેલા કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર અને આઇપીએસ અધિકારી રાજીવ કમાર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવ્યા બાદ સુપ્રિમ કોર્ટે તેમનાં ધરપકડ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો હતો. જો કે તે પછી જ રાજીવ કુમાર 10 દિવસની રજા પર ઉતરી ગયા હતાં. જો કે ત્યારબાદ તેેમનું લોકેશન મળતું નહોતું. જેથી કંટાળેલી સીબીઆઇએ રાજીવ કુમારને પકડવા માટે વિશેષ ટીમની રચના કરી હતી.
હવે જે માહિતી મળી રહિ છે તે પ્રમાણે સીબીઆઇને રાજીવ કુમારનું લોકેશન મળી ગયું છે. જેથી હરકતમાં આવેલી સીબીઆઇની એક ટીમ કોલકાતાનાં સીજીઓ કોમ્પલેક્ષનાં લોકેશન માટે રવાના થઇ ગઇ છે. જેથી રાજીવ કુમારને નજીકનાં ભવિષ્યમાં ધરપકડ કરાશે.
મળતી માહિતી પ્રમાણે એક ટીમ લોકેશન તરફ રવાના થઇ છે અને બીજી ટીમ રાજીવ કુમારનાં કોલકાતા સ્થિત 34, સ્ટ્રીટ પાર્ક નિવાસ સ્થાન પર કબ્જો જમાવીને બેઠી છે. કોઇ પણ સમયે રાજીવ કુમારની ધરપકડ થઇ શકે છે. રાજીવ કુમાર સાથએ સંલગ્ન પાંચ સ્થળો પર સીબીઆઇ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. આ પહેલા પણ સીબીઆઇએ રાજીવ કુમાર વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યુ હતું. તેમજ અનેક વખત તેમને સમન્સ પાઠવાયું હતું.
મહત્વનું છે કે શારદા ચિટ ફંડ કેસમાં વિશેષ તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. જે ટીમનાં વડા તરીકે રાજીવ કુમાર હતાં. તે દરમિયાન આઇપીએસ રાજીવ કુમારે પુરાવા સાથે છેડછાડ કર્યાનો આરોપ છે. જેથી રાજીવ કુમાર આ તપાસથી મોં છુપાવીને સીબીઆઇને ગોળી પાવામાં સફળ રહ્યા હતાં. જો કે હવે સીબીઆઇ ટીમને તેમનું લોકેશન મળી જતા નજીકનાં સમયમાં જ તેમની ધરપકડ થશે. અત્રે નોંધનીય છે કે રાજીવ કુમારનાં સમર્થનમાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમની ધરપકડ વિરૂદ્ધ ધરણા કર્યા હતાં. જે પછી જ દેશની રાજનીતિમાં ગરમાવો વ્યાપી ગયો હતો. રાજીવ કુમાર મમતા દીદીનાં ખાસ વિશ્વાસુ અધિકારીઓ પૈકીનાં એક છે, તેમજ સીએમ મમતા બેનરજીનાં નિકટના સાથી માનવામાં આવે છે.