કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAYના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે 23 સપ્ટે સોમવારના રોજ ગાંધીનગર ખાતે ‘આયુષ્યમાન ભારત દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું ઇ-તકતીથી લોકાર્પણ, 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’નું લોકાર્પણ કરવામાં આવશે.
લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ, 108 એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવશે.
Gmers મેડિકલ કોલેજ ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતે સવારે 10.30 કલાકે યોજાનાર આ સમારોહમાં સરકારના મંત્રી તથા ધારાસભ્યો અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે.