દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે. યુપી પોલીસે તમામ જિલ્લાઓમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરુ કર્યુ છે.તેની સાથે સાથે રોહિંગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે. યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)લાગુ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.
જોકે આખી કવાયતમાં મુશ્કેલી એ છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાય છે ત્યારે બાંગ્લાદેશ આવા ઘૂસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે. યુપીમાં 10 લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહયા હોવાનો અંદાજ છે.પશ્ચિમી યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર અને બુલંદ શહેર તેમનો અડ્ડો બની ગયા છે.લખનૌ પણ બાકાત નથી.જોકે મોટા ભાગના બાંગ્લાદેશીઓએ સ્થાનિક રેશનકાર્ડ, વોટર કાર્ડ મેળવી લીધા છે.
આ પૈકીના ઘણા ગુનાખોરીમાં સામેલ છે.હવે રોહિંગ્યાઓની ઘૂસણખોરીએ પણ યુપી પોલીસની ચિંતા વધારી દીધી છે.