સુરતના સલાબતપુરા ખાંગડ શેરી ખાતે લેસપટ્ટીનો વેપાર કરતા પરવત પાટીયાના યુવાન પાસેથી રૂ.6.56 લાખનો લેસપટ્ટીનો માલ ખરીદી કોલકત્તાના પિતા-પુત્રએ પેમેન્ટ કર્યું ન હતું.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત પાટીયા ભક્તિધામ સામે માનસરોવર હાઈટ્સ 102માં રહેતા 25 વર્ષીય મહેન્દ્રભાઈ ગુલાબચંદ્ર પોખરાના સલાબતપુરા બારડોલી પીઠા રોડ ખાંગડ શેરી દુકાન નં.1/1881માં કાવ્યા ટ્રેડર્સના નામે લેસપટ્ટીનો વેપાર કરે છે.
પ.બંગાળના કોલકત્તા ખાતે ખંગારપટ્ટી પંડિત પુરૂષોત્તમ રોયલ સ્ટ્રીટ ખાતે લક્ષ્મી ટ્રેડર્સના નામે વેપાર કરતા સંજયભાઈ ધાગા અને તેમના પુત્ર ચિરાગે શરૂઆતમાં લેસપટ્ટીનો માલ મંગાવી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.
બાદમાં પિતા-પુત્રએ 23 જુલાઈ 2015થી 28 જાન્યુઆરી 2016 દરમિયાન મંગાવેલા રૂ.6,55,870ની મત્તાના લેસપટ્ટીના માલનું પેમેન્ટ ચુકવ્યું ન હતું. આ અંગે મહેન્દ્રભાઈએ ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ બી સી ગઢવી કરી રહ્યા છે.