અંડરવલ્ડ ડૉન અને 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે સંબંધોમાં ફૂટ પડાવવાનું કારણ બની શકે છે. દાઉદના ખાસ શૂટર મુન્ના ઝિંગડા ઉર્ફે મોહમ્મદ સલીમને થાઈલેન્ડે પાકિસ્તાનને સોંપી દીધો છે. તેથી ભારત અને થાઈલેન્ડના દ્વીપક્ષીય સંબંધો ખરાબ થઈ શકે છે.
થાઈલેન્ડના જાણીતા સમાચારપત્ર ‘ધી નેશન થાઈલેન્ડે’ ભારત સરકારના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, અમે થાઈલેન્ડની ન્યાય પ્રક્રિયાનું સન્માન કરીએ છીએ. પરંતુ આ નિર્ણયથી અમને ભારે આશ્ચર્ય થયું છે. ભારત સંબંધોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. એક દોષિત આરોપીના પ્રત્યર્પણ માટે બેંકોક ભારત અને પાકિસ્તાન વચ્ચે ફસાયેલુ છે.
દાઉદના ખાસ મુન્નાનો કેસ થાઈલેન્ડની કોર્ટમાં ભારત વિરુદ્ધ ગયો હતો. કોર્ટે તેના ભારત પ્રત્યર્પણ માટે નીચલી કોર્ટનો નીર્ણય બદલી નાખ્યો હતો. નવા આદેશ પ્રમાણે મુન્નાને 9 ઓક્ટોબરે પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે ભારતે દાવો કર્યો છે કે, ઝિંગડા ભારતીય નાગરિક છે. તેને સઈદ મુઝક્કિર મુદસ્સર હુસૈનના નામે પણ ઓળખવામાં આવે છે. ભારત તેના પ્રત્યર્પણ માટે બે વર્ષથી થાઈલેન્ડના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતા.
ડૉન છોટા રાજન પર હુમલો કરવાના કેસમાં કોર્ટે ઝિંગડાને 35 વર્ષની જેલની સજા આપી છે. જોકે ત્યાર બાદ આ સજા ઘટાડીને 16 વર્ષ કરી દેવામાં આવી છે. થાઈલેન્ડની જેલમાં સજા પૂરી થતાં તેને 2016માં છોડી દેવામાં આવ્યો હતો. જોકે ભારતે 2012માં તેના પ્રત્યર્પણની માંગણી કરી હતી. ભારત પહેલાં જ છોટા રાજનને પ્રત્યર્પિત કરીને લાવી ચૂક્યા છે.
અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પર 1993ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. મુંબઈ હુમલામાં 257 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ભારતે પાકિસ્તાનને ઘણી વખત દાઉદને સોંપવાનું કહ્યું છે. પરંતુ પાકિસ્તાન સતત દાઉદ તેની પાસે ના હોવાનો લુલો બચાવ કરતુ આવ્યું છે.