બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યનાં યુમાનો પોતાના અને પરિવારના સપના પુરા કરવા પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત જોયા વિના સતત મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં ગુસ્સો અને હતાશા જોવા મળી રહી છે. વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે હવે સરકારને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ બ્રહ્મ જ્ઞાન થયુ છે.
બિનસચિવાલયની પરીક્ષા પર સરકારને હવે બ્રહ્મજ્ઞાન થયુ છે. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી 1 મહિનામાં નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે. હાલની 3500 જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે 4500 જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.