સુરતના અડાજણ ખાતે આવેલી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી કિશોરીનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. કિશોરીના મોત બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એટલું જ નહી. સાડા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીને તબીબ સમજીને લાફા પણ ઝીંકી દીધા હતા. જોકે ભુલ સમજાતા બાદમાં પરિવારજનોએ માફી માંગી હતી. બાદમાં પરિવારે લાશ સ્વીકારવાનો પણ સાફ ઇનકાર કરી દીધો હતો. પેટમાં દુખાવા ને લઈને પરિવારજનો કિશોરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઈન્જેક્શન બાદ કિશોરીનું મોત થયુ હોવાનો આક્ષેપ લાગ્યો છે.
કિશોરીનું ઈન્જેક્શનના કારણે મોત થયું હોવાનો આક્ષેપ
અડાજણ ખાતે આવેલા હનીપાર્ક રોડ પર બ્લેસિંગ હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તબીબની બેદરકારીના કારણે ધોરણ ૯ માં અભ્યાસ કરતી ધ્વનિલ બાબુભાઈ પટેલ નામની કિશોરીનું ઈન્જેકશન આપ્યા બાદ મોત નીપજયું હોવાના આરોપ પરિવારે કર્યા હતા. રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. જ્યાં.પરિવારના આરોપ છે કે સવારના 12 વાગ્યાની આસપાસ કિશોરીને પેટમાં દુખાવો ઉપડવાની ફરિયાદ સાથે સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી હતી. ડોક્ટર ની ગેરહાજરી હોવા છતાં તેમના કહેવા પ્રમાણે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.જ્યાં રાત્રીના નવ વાગ્યા દરમ્યાન અચાનક કિશોરીનું મોત થયું હતું. પરિવારજનોએ કિશોરીના મોતનું કારણ જાણવાનો પ્રયાસ પણ કર્યો.જો કે હોસ્પિટલ ના ડોકટર નિખિલ પટેલ હાજર થયા ન હતા.પરિવારે કિશોરીના મોત પાછળ ડોકટર ની બેદરકારી ના આક્ષેપ કર્યા હતા.
સાદા ડ્રેસમાં આવેલી પોલીસને ડૉક્ટર સમજી મેથીપાક
હોસ્પિટલ માં ભારે હોબાલા ના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. દર્દીના પરિવારજનોનો રોષ જોઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોએ સમજાવવાના ભારે પ્રયાસ પણ કર્યા હતા. એક તરફ એકની એક દીકરીને ગુમાવવાનો પરિવારમાં આઘાત હતો. તો બીજી તરફ ડોકટર ની બેદરકારી પ્રત્યે ભારે નારાજગી અને રોષ પણ હતો. જે દરમ્યાન હોસ્પિટલમાં સાદા ડ્રેસમાં આવી પહોંચેલા પોલીસ કર્મચારીને ડોકટર સમજી પરિવારજનોએ એકબાદ એક લાફા ઝીંકી દીધા હતા. જેથી ત્યાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓ ઓન સમસમી ઉઠ્યા હતા.જો કે બાદમાં પરિવારને પોતાની ભૂલ સમજાતા પોલીસ કર્મચારીની માફી ઓન માંગી લીધી હતી.
જ્યાં સુધી ડૉક્ટર હાજર નહીં થાય લાશ નહીં સ્વીકારવામાં આવે
સુરતના પાલનપુર પાટિયા નજીક આવેલ વિદ્યાકુંજ સ્કૂલ પાસે રિદ્ધિસિધ્ધિ એપાર્ટમેન્ટ રહેતા બાંબુભાઈ પટેલની એકની એક દીકરીનું મોત થતાં પરિવાર જાણે આભ તૂટી પડ્યો હતો. હોસ્પિટલ માં પરિવારજનોએ ભારે આક્રંદ મચાવ્યો હતો.પુત્રીને ખોવાનો પરિવારને મોટો આઘાત લાગ્યો હતો.પરિવારજનો ની આંખોમાંથી અશ્રુ રૂકવાનું નામ સુધા લેતા ન હતા. પરિવારે દીકરીના આપઘાત પાછળ ડોકટરને જવાબદાર ગણાવ્યો હતો.જ્યાં સુધી ડોકટર હોસ્પિટલ માં હાજર નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પણ સાફ ઇન્કાર કરી દેવાયો હતો.જો કે કસુરવારો સામે પગલાં ચોક્ક્સથી ભરાશે તેબી ખાતરી પોલીસ તરફથી મળતા મામલો થાળે પડ્યો હતો.પરંતુ આટલી હદે હોસ્પિટલમાં હોબાળો થયો હોવા છતાં તબીબ ગેરહાજર રહ્યા હતા.