ભારતીય વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આરકેએસ ભદૌરિયા એક હુમલામાં બચી ગયા છે. ગુરૂવારનાં અમેરિકાનાં ઐતિહાસિક પર્લ હાર્બર મિલિટ્રી બેસમાં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને ભય ફેલાવ્યો હતો. તે સમયે ઇન્ડિયન એરફોર્સનાં ચીફ આરકેએસ ભદૌરિયા અને તેમની ટીમ પણ ત્યાં હાજર હતી. આ ફાયરિંગમાં ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાં બેની હાલત ગંભીર છે. જો કે ભારતીય વાયુસેનાની ટીમ હુમલામાં બચી ગઈ છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
તમામ લોકો સામાન્ય નાગરિક હતા
આ ઘટના બાદ અહીં અધિકારીઓએ ટ્વિટર પર કહ્યું કે ગોળીબારમાં ઘાયલ થયેલા તમામ લોકો સામાન્ય નાગરિક હતા અને તેઓ તમામ અહીં રક્ષા મંત્રાલય માટે કામ કરતા હતા. જો કે ઘાયલોની સ્થિતિ વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. Hawai News Nowએ એક પ્રવક્તાનાં જણાવ્યા પ્રમાણે કહ્યું છે કે, “હુમલામાં 3 લોકોને ગોળી વાગી છે. આ હુમલો Pearl Harbor Naval Shipyardનાં Drydock 2 પર થયો. આ ઘટનાને પ્રત્યક્ષ જોનારા એક વ્યક્તિ કહ્યું કે, તેણે એ બંદૂકધારીને ખુદને ગોળી મારતો જોયો હતો.