અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતો કાંકરિયા કાર્નીવલ લોકોને મનોરંજન આપે છે. પરંતુ આ માટે તંત્ર કરોડોનો ખર્ચ કરે છે એ પણ એક હકીકત છે. દર વર્ષે કાર્નીવલમા પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા આ એક કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલો કાંકરિયા કાર્નીવલ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે. દર વર્ષે મોટી સંખ્યામા લોકો તેની મુલાકાત લેતા હોય છે. કાર્નીવલમાં વિવિધ કાર્યક્રમો લોકોને મનોરંજન આપે છે. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન સાત દિવસના કાર્નીવલમાં વિવિધ આકર્ષણો હોય છે.પરંતુ તેની પાછળ મોટી રકમનો પણ ખર્ચ થાય છે.કાર્નીવલની શરુઆત થઇ ત્યારે એટલે કે 2009ના વર્ષમાં દોઢ કરોડ જેટલો ખર્ચ કરાતો હતો. પરંતુ ત્યારબાદ તે ખર્ચ વધતો ગયો છે. તંત્ર કહી રહ્યુ છે કે ખર્ચમાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે. પરંતુ તેવું લાગતુ નથી. સુત્રોનું માનીએ તો આ વર્ષે કાર્નીવલ પાછળ ચારથી પાંચ કરોડ સુધીનો ખર્ચ કરાશે. કાર્નીવલના ખર્ચાની વાત કરવામા આવે તો સાંઇરામ દવે, ગીતા રબારી, કીર્તીદાન ગઢવી, ઓસમાણ મીર જેવા કલાકારોને બોલાવામા આવ્યા છે. જેઓને પચાસ હજારથી પાંચ લાખની રકમ ચુકવાશે. કાર્નીવલમાં મોટા પાયે લાઇટીંગ કરવામા આવે છે.જેથી 40 થી 50 લાખ જેટલુ ઇલેક્ટ્રીક બીલ આવે છે.
કાર્નીવલમાં ફોટોગ્રાફી વીડીયોગ્રાફી એલ.ઇ.ડી પાછળ પણ મોટો ખર્ચ કરાય છે જેનો કોનટ્રાક્ટ હર્ષદ સ્ટુડીયો એન્ડ વીડીયો ટાઇમ્સને આપવામા આવ્યો છે. સાઉન્ડ અને ડોકોરેશન પાછળ દોઢથી બે કરોડનો જંગી ખર્ચ થશે.આ બધા માટે ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરવામાં આવે છે. દર વર્ષે કાર્નીવલના નામે કરોડોનો ખર્ચ થાય છે તે અંગે તંત્રનુ કહેવુ છે કે કાર્નીવલમા નાગિરીકોને સારુ મનોરંજન મળે છે. વિવિધ સાંસ્કુતિક કાર્યક્મ યોજવામા આવે છે .લાખો લોકો તેની મઝા લે છે ત્યારે વધતા ઓછા અંશં ખર્ચ થાય છે. કાર્નીવલ જેવા કાર્યક્રમો નાગરિકોને આનંદ આપે છે. પરંતુ આવા કાર્યક્રમો બીન જરુરી ખર્ચા બંધ કરી કરકસર કરીને કરવામા આવે તે જરુરી છે. બાકી તો કાર્નીવલના નામે પ્રજાના નાણાં વેડફવામા આવે છે તેમ કહી શકાય.