તૂર્કીએ પોતાના કાંદાની ભારતમાં થતી નિકાસ કોઇ અકળ કારણથી અટકાવતાં કાંદાના ભાવ અત્યારે છે એના કરતાં પણ વધવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે કાંદા સરેરાશ સોથી દોઢસોના ભાવે જુદા જુદા સ્થળે વેચાય છે. ભારત સરકારે આમ આદમીને એવું આશ્વાસન આપ્યું હતું કે અમે કાંદાની જથ્થાબંધ આયાત કરી રહ્યા છીએ એટલે ટૂંક સમયમાં કાંદાના ભાવ ઘટી જશે.પરંતુ લેટેસ્ટ મિડિયા રિપોર્ટ મુજબ તૂર્કીએ ભારત તરફ આવતા કાંદાની નિકાસ અટકાવી દીધી હતી. ડુંગળીના વેપારીએા માને છે કે હાલ જે ભાવ પ્રવર્તે છે એના કરતાં 15 ટકા વધુ ભાવ થવાની શક્યતા છે. આમ કાંદા હજુ થોડો સમય તો ગૃહિણીઓને રડાવશે. એક રિપોર્ટ મુજબ અત્યારે દેશના વિવિધ વિસ્તારોમાં મળીને 790 ટન આયાતી કાંદા ઉપલબ્ધ છે. (એક ટન એટલે એક હજાર કિલો.) પાટનગર દિલ્હીમાં પચાસ ટન આયાતી કાંદા પહોંચ્યા હતા. આજે સવારે ઠેકઠેકાણે લોકો સરેરાશ 120થી 140 રૂપિયે કિલોના હિસાબે કાંદા ખરીદવા સ્ટોર્સ પર લાઇન લગાવીને ઊભા હતા.ચાલુ નાણાંકીય વર્ષમાં એટલે કે એપ્રિલની પહેલીથી આજ સુધીમાં આપણે કુલ 7070 ટન ડુંગળી આયાત કરી હતી. એમાં અડધોઅડધ ડુંગળી તૂર્કીની હતી. તૂર્કી અને મિસર બે દેશની ડુંગળી આપણે આયાત કરીએ છીએ. તૂર્કીના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ભારત તરફ નિકાસ વધતાં અમારાં સ્થાનિક બજારોમાં ડુંગળીના ભાવ વધી ગયા હતા અને લોકો નારાજ થવા માંડ્યા હતા એટલે અમે નિકાસ તત્કાળ અટકાવી હતી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.