તમિલનાડુના તિરુચિરપલ્લીમાં એક ખેડૂત પી. શંકરે તેનાં ખેતરમાં પીએમ મોદીનું મંદિર બનાવડાવ્યું છે. આ મંદિરને ‘નમો’ નામ આપ્યું છે. અહીં એક દિવસમાં ચાર વખત આરતી કરવામાં આવે છે. શંકરની ઈચ્છા છે કે, પીએમ મોદી અહીં આવે અને મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં મોદી ઉપરાંત એમજી રાજચંદ્રન, જયલલિતા અને તમિલનાડુના સીએમ પલાનીસ્વામીનો ફોટો પણ મૂક્યો છે. શંકરે કહ્યું કે, મોદી ભગવાન જેવા જ છે, કારણકે તે અહીંયા વિકાસ કરવા માટે આવ્યા છે. પી. શંકર પોતાનાં ગામ ઈરાકુડીમાં ખેડૂત સંઘના અધ્યક્ષ પણ છે. તેઓ વર્ષ 2014થી મંદિર બનાવવાનું વિચારી રહ્યા હતા. તેમણે પ્રથમ મેટલની મૂર્તિ બનાવડાવાનું વિચાર્યું હતું, પણ તેમાં 1 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો. ગ્રેનાઈટની મૂર્તિ 80 હજાર રૂપિયામાં થતી હતી. પી. શંકર પાસે આટલું બજેટ નહોતું, આથી તેણે પથ્થર અને સિમેન્ટની 2 ફુટ ઊંચી મૂર્તિ બનાવડાઈ. આ મૂર્તિનો ખર્ચ 10 હજાર રૂપિયા આવ્યો. મંદિર બનાવવા માટે શંકરે કોઈની પાસેથી રૂપિયાની મદદ લીધી નથી.પી. શંકરે કહ્યું કે, આ મંદિર બનાવવા પાછળ એક કારણ છે, મેડિકલ એડમિશન માટેની નીટ પરીક્ષા મારી દીકરીએ પ્લસ 2માં 1105 અંક મળ્યા હતા, પણ તે મેડિકલ પરીક્ષામાં 2 માર્ક્સથી નાપાસ થઈ ગઈ. પ્રાઇવેટ કોલેજ એડમિશન માટે મોટી રકમ માગી રહ્યા હતા. આથી મેં મારી દીકરીનું એડમિશન અન્ના યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં લીધું. હવે નીટ લાગુ થઈ જતા મેડિકલ એડમિશનમાં ગેરકાયદેસરના ધંધા બંધ થઈ જશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.