ચોથીવાર પણ બાળકી જન્મતા હોસ્પિટલમાં જ નવજાત ને ટૂંપો દીધો. એક તરફ સરકાર બેટી બચાવો અભિયાન ચલાવી રહી છે અને દીકરીઓમાં માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે તેમ છતાં સમાજમાં દીકરીઓ પ્રત્યે જુનવાણી વિચારો હાવી છે અને દિકરીઓ જન્મ પહેલાં કે બાદમાં હત્યા કરવામાં આવતી હોવાના કિસ્સા બનતા રહે છે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે ,ઉમરગામ ગાંધીવાડી સ્થિત સીએચસીના કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થયાની ઘટના બનતા ફરજ ઉપરના તબીબને આ કેસ શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી મૃત બાળકીનું ફોરેન્સિક પીએમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવતા નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો હતો. નવજાત બાળકી ની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેની સગી માતાએ કરી હોવાનું બહાર આવ્યું છે.
ઉમરગામ ગાંધીવાડીના સાકેત નગરમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશના જોનપૂર જિલ્લાના પરિવારની અનીતાદેવી ડીમ્પલ બિંદનામની મહિલાએ સતત ચોથીવાર પણ બાળકીએ જન્મ લેતા તેની ગળે ટૂંપો દઇને હત્યા કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. આ અંગે પીએસઆઇ પોતે ફરિયાદી બનીને ચાર દિવસના બાળકીની હત્યા કરનારી માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉમરગામ ગાંધીવાડી સ્થિત સીએચસીના કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થતા ડોકટર ને શંકા જતા પીએમ કરાવતા હત્યા નો ભેદ ઉકેલાયો હતો.આ બનાવ ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી.