ગુવાહાટી : ભારત અને શ્રીલંકા વચ્ચે ટી -20 સિરીઝની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. આ મેચને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ક્રિકેટ ચાહકો અહીં બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમની અંદર પોસ્ટર, બેનરો અથવા પ્લેકાર્ડ લઇ જઈ શકશે નહીં.
આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ) ના સચિવ દેવજીત સાઇકિયાએ જણાવ્યું હતું કે, આ સૂચનાનો નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિરોધ સાથે કોઈ લેવા-દેવા નથી, જેને લઈને રાજ્યના મોટાભાગના ભાગોમાં અવ્યવસ્થા ઉભી થઇ છે. જેના કારણે કર્ફ્યુ, ઇન્ટરનેટ બંધ અને ઓછામાં ઓછા ચાર મૃત્યુ થયા છે.
Rise and shine Guwahati ☀️☀️ #INDvSL @Paytm pic.twitter.com/kDOPvcCxeZ
— BCCI (@BCCI) January 4, 2020
રમત દરમિયાન ‘4’ અને ‘6’ બતાવતા પ્લેકાર્ડ્સને પણ મંજૂરી આપવામાં આવશે નહીં, કારણ કે તેનો ઉપયોગ ‘જાહેરાતો’ માટે કરી શકાય છે. સાઇકિયાએ કહ્યું કે ‘માર્કર પેન્સ’ પણ અંદર લઇ જઈ શકાશે નહીં. ફક્ત પુરુષોના પર્સ, મહિલાની હેન્ડબેગ, મોબાઈલ ફોન અને વાહન ચાવીઓની મંજૂરી હશે.
સાઇકિયાએ પ્લેકાર્ડ્સ અને પોસ્ટરો સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ ન કરવા માટેનું કારણ જણાવતાં કહ્યું કે, બીસીસીઆઈ અને બહુરાષ્ટ્રીય પીણા કંપની વચ્ચેનો કરાર પૂરો થયો છે. જેની માહિતી એસીએ દ્વારા આશરે એક અઠવાડિયા પહેલા મળી હતી.
Missed this sight anyone? ???
How's that from @Jaspritbumrah93 #TeamIndia #INDvSL pic.twitter.com/hoZAmnvE2k— BCCI (@BCCI) January 3, 2020