રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોને ડેબિટ/ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલા આદેશો બહાર મોકલ્યા છે. કોઇ નવું કાર્ડ હવે ભારતમાં એટીએમ કે પીઓએસ મશીનો પર જ ઉપયોગમાં લઈ સકાશે, કસ્ટમર સ્પષ્ટ રીતે વિનંતી કરશે તો જ તેને ઈન્ટરનેટ કે અન્ય સુવિધાઓ માટે એક્ટિવેટ કરવામાં આવશે. કસ્ટમર્સ પાસે એ ઓપ્શન પર હશે કે, તે કોઇપણ ટ્રાન્જેક્શનની મર્યાદા નક્કી કરી સકશે. આ મર્યાદા ફિજિકલ અને ઈન્ટરનેટ યૂઝ માટે રહેશે.પહેલાંથી ઈશ્યૂ કરવામાં આવેલ કાર્ડ પર બેન્ક પોતાની રીતે નિર્ણય લેશે કે, કાર્ડ પર ઓનલાઇન પેમેન્ટ આપવું છે કે નહીં. ર્તેમાં શરત છે કે, જે કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે કરવામાં આવતો નથી, તેમના માટે આ સુવિધા ઓટોમેટિકલી બંધ કરવામાં આવશે. એટલે કે, જો તમે અત્યાર સુધીમાં કાર્ડનો ઓનલાઇન ઉપયોગ નહીં કર્યો હોય તો, હવે પછીથી નહીં કરી શકો.જ્યારે કોઇ બેન્ક ડેબિટ/ક્રેડિટ કાર્ડ આપે છે ત્યારે સાથે ઈન્ટરનેટ બેન્કિંગ ક્રેન્ડેશિયલ પણ આપે છે. જે લોકો આ ટ્રાન્જેક્શન નથી કરી શકતા, તેમની સાથે ઓનલાઇન ફ્રોડ થવાનો ખતરો બહુ વધારે હોય છે, આરબીઆઈ એમ માનીને ચાલી રહી છે કે, જે લોકો ઓનલાઇન ટ્રાન્જેક્શન કરે છે, તેમને CVV અને OTPS ના મહત્વની ખબર છે અને તેઓ ફૉન કોલ કે મેસેજ પર આવું શેર કરતા નથી. જો બાય ડિફોલ્ટ આ સુવિધા ડિસેબલ થશે તો, ઈન્ટરનેટ સાથે જોડાયેલ ફ્રોડ્સ અંગે સમજતા ન હોય તે લોકો આવા ફ્રોડથી બચી જશે.આરબીઆઈએ બેન્કોને કહ્યું કે, તેઓ કાર્ડ હોલ્ડર્સને બધા જ પ્રકારનાં ટ્રાન્જેક્શન માટે ટ્રાન્જેક્શન લિમિટને સ્વિચ ઓફ/ઓફ/મોડિફાઇ કરવાની સુવિધા આપે. આ સુવિધા ઘણી ચેનલ્સ (ઓનલાઇન/એપ/કૉલ/એટીએમ) દ્વારા ચોવીસ કલાક ચાલુ રહેશે. જો કાર્ડના સ્ટેટસમાં કોઇ બદલાવ થાય તો તરત જ બેન્ક તેના ગ્રાહકને આ અંગે માહિતી આપશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.