નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મહોમ્મદ અઝહરૂદ્દીન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓરંગાબાદના ટ્રાવેલ એજન્ટ મહોમ્મદ શાદાબે અઝરુદ્દીન સામે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે.
ટ્રાવેલ એજન્ટ શાદાબે ફરિયાદમાં કહ્યું હતું કે, 9 થી 12 નવેમ્બર વચ્ચે અઝહરે પોતાના માટે અને સુધીશ અવિક્કલ માટે સંખ્યાબંધ વિદેશના શહેરોમાં પ્રવાસ માટે ટિકિટ બુક કરાવીને કેન્સલ કરાવી હતી. બંનેએ આ માટેની રકમ ચુકવવાનો વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી તેમણે આ રકમ ચૂકવી નથી. આ રકમ લગભગ 20 લાખ રૂપિયા સુધીની છે.
પોલીસે કહ્યું કે, આ મામલામાં તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.