ઉત્તર પ્રદેશ પોલીસનો 75 વર્ષ સાથ આપનારી થ્રી નોટ થ્રી (303 રાઈફલ) રાઈફલે 26 જાન્યુઆરીની પરેડ બાદ અલવિદા કહી દીધું છે. ઉત્તર પ્રદેશમાં આ રાઈફલથી 26 જાન્યુઆરીએ છેલ્લીવાર ફાયર કરવામાં આવ્યું હતું. રાઈફલનો ઉપયોગ સૌપ્રથમ વર્ષ 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. વર્ષ 1945માં પ્રથમવાર થ્રી નોટ થ્રી રાઈફલ યુપી પોલીસેને મળી હતી. આ રાઈફલને વર્ષ 1955માં જ બિનઉપયોગી જાહેર કરી દેવામાં આવી હતી, પણ યુપી પોલીસ અત્યાર સુધી તેનો ઉપયોગ કરતી હતી. પોલીસનું માનવું હતું કે, જે જવાનના હાથમાં લોડેડ થ્રી નોટ થ્રી રાઈફલ રહી છે, તેઓ ક્યારેય મોતથી ડરતા નથી. શુક્રવારે રાજ્યના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે, ઈતિહાસ બન્યો તે પહેલાં આ રાઈફલનો ઉપયોગ પ્રશિક્ષણ આપવા માટે કરવામાં આવતો હતો. આ રાઈફલ ઘણા સમયથી ઉપયોગમાં લઈ શકાય તેમ નહોતી, આથી પોલીસ જવાનને તેની બદલે આધુનિક હથિયાર આપવામાં આવ્યા હતા. યુપી સરકારે આની પહેલાં જવાનોને 63 હજાર ઈન્સાસ (ઈન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ) અને 23 હજાર એસએલઆર(સેલ્ફ લોડિંગ રાઈફલ) આપી ચૂકી છે. પોલીસની જરૂરિયાત અને મહિલા સુરક્ષાની સાથોસાથ લો એન્ડ ઓર્ડર જાળવી રાખવા માટે આ બદલાવ લાવવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટર જનરલ કમ પ્રિન્સિપલ ઓફ આર્મ્ડ ટ્રેનિંગ સેન્ટર સીતાપુરના વર્ષ 1972ની બેચના રિટાયર્ડ આઈપીએસ એસ. આર દારાપુરીએ જણાવ્યું કે, અમારા સમયે મોટાભાગે થ્રી નોટ થ્રીનો જ ઉપયોગ થતો હતો. તે અત્યારની સેલ્ફ લોડિંગ રાઈફલ કરતાં વધારે સારી છે. થ્રી નોટ થ્રી રાઈફલનો આશરે 20 વર્ષ સુધી યુપી પોલીસના 48 ટકા જવાનોએ ઉપયોગ કર્યો છે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.