Gujarat Congress: વિક્રમ માડમની રાજકીય નિવૃત્તિની જાહેરાત, પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ

Satya Day
2 Min Read

Gujarat Congress સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો: આંતરિક અસંતોષ વચ્ચે આપવામાં આવેલા સંકેતો ભાજપ માટે લાભદાયી થઈ શકે

Gujarat Congress દેવભૂમિ દ્વારકા: સૌરાષ્ટ્રના જાણીતા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કરતાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહમાં ભાવુક સંબોધન દરમ્યાન માડમે જણાવ્યું કે હવે તેઓ પ્રજા માટે કામ કરવાનું બંધ કરશે અને રાજકારણમાંથી દુર રહીને શાંતિપૂર્ણ જીવન જીવશે.

માડમે પોતાના નારાજગીના ભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, “જેને મેં નેતા બનાવ્યા, એ વેચાઈ ગયા છે. કંપનીઓ પૈસા આપી ને લોકો ખરીદે છે, તો હું કોની સાથે લડું?” તેમનું આ વક્તવ્ય કોંગ્રેસના આંતરિક સંઘર્ષ અને નારાજગીઓ સામે લાવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Amit Chavda.1.jpg

માડમનો ભાજપ તરફ કોઈ ઈશારો કર્યા વિના પણ, તેમનો રાજકીય સન્યાસ, પાર્ટી માટે મોટો નુકસાન છે. તેમણે સ્પષ્ટતા કરી કે, “હું જીવતો હોઉં ત્યાં સુધી પંજો મારી ઓળખ રહેશે, પણ હવે ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી.”

કોંગ્રેસમાં નવી જવાબદારીઓ: ચાવડા અને ચૌધરી મંચ પર

કોંગ્રેસ હાઈકમાન્ડે પણ તત્કાળ સંગઠન સુધારાની દિશામાં પગલાં લીધા છે. અમિત ચાવડાને ફરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે.

અમિત ચાવડા અગાઉ પણ આ પદે રહી ચૂક્યા છે અને સંગઠનના કાર્યોમાં તેમની અનુભવી ભૂમિકા રહી છે. બીજી તરફ, તુષાર ચૌધરી, એક આદિવાસી નેતા, સમાજના પ્રશ્નો વધુ ઠોસ રીતે ઉપાડશે તેવી અપેક્ષા છે.

Amit Chavda.jpg

આ નવી નિમણૂકો અને વિક્રમ માડમની વિદાય સાથે ગુજરાત કોંગ્રેસ એક બદલાવના ચરણમાં પ્રવેશી રહી છે, પરંતુ તેની સફળતા સંઘર્ષ પર કેવી રીતે કાબૂ મેળવે છે તે પર નિર્ભર રહેશે.

Share This Article