મુંબઈ : બોલિવૂડની સેલિબ્રિટીઓ રવિના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહની સમસ્યા પુરી થવાનું નામ નથી લઈ રહી. એક શોમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની બાબત પર તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસ પાસે આ ત્રણ સેલેબ્સની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, જેણે આ ત્રણેય સામે ગુનો નોંધાવ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર- આશિષ શિંદેએ ડીજીપીને અરજી લખી છે. તેણે ત્રણે સેલેબ્સની ધરપકડ કરવાની માંગ કરી છે. શિંદે સ્થાનિક એનજીઓના વડા છે. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં બીડ શહેરના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં રવિના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આઈપીએસની કલમ 295 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ મુંબઇના મલાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
Please do watch this link. I haven't said a word that can be interpreted as an insult to any religion. The three of us (Farah Khan, Bharti Singh and I) never intended to offend anyone, but in case we did, my most sincere apologies to those who were hurt. https://t.co/tT2IONqdKI
— Raveena Tandon (@TandonRaveena) December 26, 2019