આ શિવલિંગ મૃત વૃક્ષોના લાકડામાંથી બનાવામાં આવ્યું છે. શિવલિંગ સૃષ્ટિનું સંકેત છે. જ્યારે આપણા બધાને ખોટી મનોગ્રંથી છે કે શિવલીંગ જ શિવજી છે. ખરેખર એવું નથી. આ પૃથ્વીના આરંભ કાળમાં જ્યારે ભગવાન શિવ અવતાર લઈને ધરતી પર સૃષ્ટિ(સર્જન) કરવા માટે આવ્યા હતા અને તે કાર્યના સમાપ્ત થયા પછી અમુક ઋષિઓ શિવજી પાસે વિનંતી કરી હતી કે “અમને એમનાથી જોડાયેલા કોઈ વસ્તુની જરૂરત છે જેને અમે શિવ માની ને પુજી શકીએ”. આના જવાબમાં ભગવાન શિવજીએ તેમને ઉત્તર આપ્યો કે, મને નહીં પરંતુ મારા કામ ની પુજા કરો. “WORK IS WORKSHIP’. આપણે બધા માનીએ છે કે ભગવાન શિવલિંગમાં વસેલા છે પણ આ સત્ય નથી. શિવલિંગ ભગવાન શિવજીએ બનાવેલું સૃષ્ટિનું પ્રતિરૂપ છે. શિવલિંગના કુલ 3 ભાગ હોય છે. શિવલિંગના છેલ્લા ભાગને “નન્યાવર્ધા શીલે’ કહેવામાં આવે છે. શિવલીંગના વચ્ચેના ભાગને પુરુષ ભાગ કહેવામાં આવે છે. આ પુરુષ ભાગના પણ ત્રણ ભાગ છે જેમાં પહેલો ભાગ “સૃષ્ટિ’, વચ્ચેનો ભાગ “સ્થિતિ’ અને આખરે “લયા’ આવે છે. “સૃષ્ટિ’ એટલે કે આપણાં 4 મુખવાળા ભગવાન બ્રહ્મા એટલે તે ચતૃમુખી હોય છે. બ્રહ્મ ભાગના નીચે નવરત્નને બેસાડવામાં આવે છે. આની ઉપરનો ભાગ “સ્થિતિ’ એટલે કે આપણાં ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુને અષ્ઠાક્ષરી પણ કહેવામાં આવે છે એટલે ૐ, ન, મો, ના, રા, ય, ના, ય. તેમજ ઉપરના ભાગે “લયા’ એટલે કે શિવજી જેમની કોઈ સીમા હોતી નથી એટલે આ ભાગને અનંત કહી શકાય છે. પછી શાસ્ત્રો મુજબ બ્રહ્મભાગને નન્યાવર્ધા શીલેની ઉપર સ્થાપિત કરવામાં આવે છે પછી શિવલિંગનો ત્રીજો ભાગ આવે એટલે કે “સ્ત્રી ભાગ’ અને આ ભાગને પાર્વતી ભાગના નામથી જાણવામાં આવે છે અને પાર્વતી ભાગને પુરુષ ભાગ પર સ્થાપિત કરવામાં આવે છે. આજ રીતે સ્ત્રી અને પુરુષ ભાગના સંગથી આ શિવલિંગ પરિપૂર્ણ થાય છે. આ શિવલિંગની પ્રાર્થના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ તેમજ બધા વેદોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેથી આપણા દેવાલય કોઈપણ વિદ્યાલયથી ઓછું ગણતા નથી. દેવસ્થાનથી સમજાઈ છે કે ભગવાન બધીજ વસ્તુમાં મોજૂદ હોય છે અને કણકણમાં વસેલા હોય છે. આવું કયાંય પણ કહેવામાં આવ્યું નથી કે ફક્ત પુરોહિત(બ્રાહ્મણ) ભગવાનનો સ્પર્થ કરી શકે છે. ભગવાનનો સ્પર્થ કોઇપણ વ્યક્તિ કરી શકે છે કેમ કે ભગવાન ભેદભાવ માનતા હોતા નથી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.