ગોધરા તા.3 : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા એ ચર્ચા નો મુદ્દો બનેલા એવા ગોધરા કાંડ ના 28 આરોપીઓ ને ગાંધીનગર કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત કરી ને મુક્ત કરવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર આ આરોપીઓ ની વિરુદ્ધ માં સામા પક્ષ ના વકીલ યોગ્ય પુરાવા લાવી શક્યા નોહતા જેના કારણે તેમને કોર્ટ દ્વારા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
કોર્ટ દવારા જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમાંના એક હાલ હાલોલ નાગરિક શહકારી બેન્ક માં ફરજ બજાવતા ગોવિદ પટેલ છે,જયારે અન્ય તમામ આરોપી છેલ્લા લાંબા સમય થી જામીન પર બહાર છે.28 તમામ આરોપી પર આરોપ હતો 28 ફેબ્રુઆરી 2002 ના દિવસે થયેલી ધમાલ માં આરોપીઓ દ્વારા પાલીયાળ ગામ માં લઘુમતી કોમ ના લોકો ની મિલકત ને ભારે નુકસાન પોહ્ચાડ્યું હતું જે ગોધરા માં ટ્રેન સળગવા ના બીજા જ દિવસે થયું હતું.
તેમના પર અન્ય પણ આરોપ હતા કે પાલીયાળ ગામ માં લગભગ 250 લોકો ના ટોળા એ દરગાહ ને પણ નુકસાન પહોચાડ્યું હતું સાથે જ તેમને લોકો ની ઘરવખરી ને પણ સળગાવી હતી.જેમાં પોલીસ એફઆઈઆર માં 28 લોકો ના નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જયારે 31 જાન્યુઆરી ના દિવસે કાલોલ ના જજ ફેંસલો કરતા જણાવ્યું હતુંકે આરોપીઓ વિરુદ્ધ પૂરતા પ્રમાણ માં સાબિતી નથી સાથે જજ બી.ડી પટેલ એ જણાવ્યું હતું કે આટલા લાંબા સમય પછી જે લોકો આના શિકાર થાય છે તે પણ આરોપીઓ ને ઓળખવામાં અસમર્થ છે.જયારે પ્રત્યદર્શી એ જણાવ્યું હતું કે અમે લોકો એ તમામ આરોપીઓ સાથે સમાધાન કરી લીધું છે અને હવે અમારે તેમની સાથે કોઈ વેર નથી.
જયારે બચાવ પક્ષ ના વકીલે જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓ એ સમાધાન પેઠે ક્ષતિ પામેલા અને ધમાલ ના ભોગ બનેલા લોકો ને પૈસા આપી દીધા છે.ગોધરા સ્ટેશન પર જે તેન સળગાવામાં આવી હતી તેમાં 58 લોકો એ જીવ ઘુમાવો પડ્યો હતો.જેના પછી ફાટી નીકળેલા તોફાન માં 1000 લોકો એ જીવ ઘુમાવો પડ્યો હતો જેમાં તમામ લોકો લઘુમતી કોમ ના હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.